આર.કે યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો અને વિધાર્થીઑ વચ્ચે સરાજાહેર મારામારી
મારામારીનો વિડીઓ વાઇરલ, હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નહી
ભાવનગર હાઇવે ઉપર આવેલ આર.કે યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો અને વિધાર્થીઑ વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી જેનો એક વિડીયો વાઇરલ થતાં આર. કે. યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
વાઇરલ થયલે વિડીયોમાં આર.કે.યુનિ.ના કેમ્પસમાં એબીવીપીના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોયતેવ દ્રશ્યો જોવા મળે છે. આ વિડીયો બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે એબીવીપીના યાનગોહિલ, હર્ષ પટેલ, રુદ્રારાજ જાડેજા, જય પટેલ નામના કાર્યકરોએ કૌશલ ભુતાણીનામના વિદ્યાર્થીને કોઈ બાબતેમાથાકૂટ કરી માર માર્યોહતો.આર. કે.યુનિવર્સિટીના હોસ્ટેલ બિલ્ડીંગમાં મોડી રાત્રીના ઘુસીને વિદ્યાર્થીને ધમકાવવવા બાબતે મારમાર્યોહોવાનું વાઇરલ થયેલા વિડીયોના આધારે ચર્ચાઇ રહ્યું છે. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.