પુત્ર સાથે દારૂ પીવા બાબતે ઝગડો થતા વેપારીનો આપઘાત
રાજકોટ નજીક હડાળા ગામે વેપારીને દારૂ પીવા બાબતે પુત્ર સાથે ઝગડો થતા પુત્રએ દારૂ પીવાની ના પડતા કરીયાણાના વેપારીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
હડાળા ગામે રહેતા અને ગામમાં કરીયાણાની દુકાન ચલાવતા ઈશ્વરભાઈ મેઘજીભાઈ સોલંકીને દારૂ પીવાની કુટેવ હોય જે બાબતે પિતા પુત્ર વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી બે દિવસ પૂર્વે પણ ઈશ્વરભાઈને તેના પુત્રએ દારૂ ન પીવાનું કહીં ઠપકો આપ્યો હતો. તે બાબતે ઉગ્ર બોલાચાલી થયા પછી ઈશ્વરભાઈએ આણંદપર રોડ પર ઝેરી દવા પી લીધી હતી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.