Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વરાળિયું’ને ઘૂટો: રાજકોટનો શિયાળો બન્ને વગર અધૂરો…!!

Sat, December 23 2023

કડકડતી ઠંડી વચ્ચે શરીરને તાજુંમાજું' કરી દેતી બે વાનગીઓ ઝાપટવા દરરોજ પડાપડી

રિંગણા-બટેટા-આખું લસણ માત્ર વરાળમાં બાફ્યા બાદ ડુંગળી-ટમેટા સહિતની ગ્રેવીમાંલબાલબ’ થયેલું વરાળિયું’ને સાથે પૈડા' જેવા ગરમાગરમ બાજરાના રોટલા-ડુંગળી-ટમેટાનું સલાડ અને સાથે ગોળ ખાઓ એટલે અલગ જ એનર્જી ઉત્પન્ન થઈ જશે તેની ૧૦૦% ગેરંટી

કારેલા-ભીંડા સિવાયના તમામ શાકભાજી-કઠોળનેવઘાર’ કર્યા વગર માત્રને માત્ર પાણીમાં જ બાફીને તૈયાર થતો ઘૂટો ખાધાં બાદ અનેક લોકોના શરદી-ઉધરસ-તાવ ગાયબ' થઈ ગયાના દાખલા ! હવે તો ડૉક્ટરો પણ ઘૂટાનું સેવન કરવાની આપે છેસલાહ’



કડકડતી ઠંડીનો અનુભવ કરાવતો શિયાળો ચાલી રહ્યો છે અને તેમાં જો રાજકોટીયન્સ ગરમી' ચડી જાય એવી વાનગીઓ તેમજ પાક ન ખાય તો પછી ભ'લા માણસ કહેવું જ શું...? એ વાત તો સૌ જાણે જ છે કે શિયાળાના ચાર મહિના શરીરનેફિલ્ટર’ કરવાના મતલબ કે તાજેતાજા શાકભાજી ખાઈને તરોતાજા બનવાના હોય છે. આ એકમાત્ર સીઝન એવી છે જેમાં એક-એકથી ચડિયાતા શાકભાજી ખાવાં મળતા હોય છે એટલા માટે આ સીઝનમાં વરાળિયું અને ઘૂટો આ બે વાનગી એવી છે જેમાં મહત્તમ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો હોય રાજકોટીયન્સનો શિયાળો આ બે વાનગી વગર અધૂરો…અધૂરો’ને અધૂરો જ ગણાય તેમ કહેવામાં અમને કોઈ જ અતિશ્યોક્તિ નથી…!


રાજકોટમાં આમ તો અનેક જગ્યાએ ઘૂટો અને વરાળિયું સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ અમુક ચુનિંદા' જગ્યા એવી છે જ્યાં આ વાનગીસ્પેશ્યલ’ના રૂપમાં મળે છે મતલબ કે અન્ય જગ્યા કરતાં અહીં તેનો સ્વાદ અને ભાવ બન્ને ચડિયાતા હોય છે. આવા જ ભીમાણી વરાળિયુ-ઘૂટોના સ્પેશ્યાલિસ્ટ કે જેઓ બેન્કમાંથી નિવૃત્ત થઈને આ વાનગી બનાવી રહ્યા છે તેવા જસમત ભીમાણીએ જણાવ્યું કે આ બન્ને વાનગીનો ઈતિહાસ રાજકોટમાં ૨૦ વર્ષથી વધુ જૂનો છે પરંતુ જેમ જેમ વર્ષ વીતતા જાય છે તેમ તેમ આ વાનગી લોકોને દાઢે વળગી રહી છે.


વરાળિયું
સૌથી પહેલાં વાત વરાળિયાની વાત કરવામાં આવે તો રિંગણા-બટેટા-આખું લસણ સહિતના શાકભાજી-કંદમૂળને માત્રને માત્ર વરાળમાં જ બાફ્યા બાદ ડુંગળી-ટમેટા-લીલું લસણ સહિતની ગ્રેવીમાં મીક્સ કરીને તેને તૈયાર કરવામાં આવે છે. વરાળિયું એક એવી વાનગી છે જે ૧ કિલોમાં ૪ લોકો આરામથી જમી શકે છે. આ વાનગીની ખાસ વાત એ છે કે તેમાં મરી-મસાલા અને તેલ માપસર જ વાપરવામાં આવે છે મતલબ કે તેલ ક્યારેય વાસણમાંથી છલકાતું નથી !! વરાળિયા સાથે પૈડા' જેવા ગરમાગરમ બાજરાના રોટલા ઉપરાંત ડુંગળી-ગોળ લેવામાં આવે એટલે તો પછી શરીરમાં અલગ જ એનર્જી ઉત્પન્ન થઈ જશે તેની ગેરંટી ૧૦૦% આપીએ છીએ.

ઘૂટો

રાજકોટમાં આમ તો દરેક પ્રકારના શાકભાજી આવે છે અને અલગ-અલગ વાનગીઓના રૂપમાં ખવાય પણ છે ત્યારે કારેલા-ભીંડા સિવાયના ૩૨ પ્રકારના શાકભાજી તેમજ કઠોળનોવઘાર’ કર્યા વગર માત્રને માત્ર પાણીમાં જ બાફીને તૈયાર થઈ રહેલી વાનગી ઘૂટા તરીકે ઓળખાય છે. મુળ આ વાનગી જોડિયાની છે. આ વાનગીની ખાસિયત એ છે કે તેમાં તેલ કે મરી-મસાલાનો ઉપયોગ જ કરવામાં આવતો નથી આમ છતાં તેનું સેવન ભરપૂર માત્રામાં થાય છે. આ વાનગી સાથે પણ બાજરાના રોટલા તેમજ ડુંગળીના સલાડ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ખાધાં બાદ અનેક લોકોના તાવ-શરદી-ઉધરસ `ગાયબ’ થયાના દાખલા પણ અનેક જોવા મળ્યા છે.

અરે વાહ ! બન્ને વાનગી એવી કે જેને ખાધાં બાદ ગેસ-એસીડીટી નહીં થાય !
વરાળિયું અને ઘૂટાની ખાસિયત એ છે કે તેને ખાધાં બાદ ગેસ-એસીડીટી નથી થતા કે ક્યારેય ખાટા ઓડકાર નથી આવતા મતલબ કે આ વાનગી એકદમ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવી છે. હા, એક વાત જરૂર છે કે ઘૂટો ખાધાં બાદ લોકોને પરસેવો જરૂર વળી જશે ! હવે તો ડૉક્ટરો પણ ઘૂટો અને વરાળિયાનું સેવન કરવાની લોકોને સલાહ આપે છે તો વળી કેન્સર સહિતની બીમારીના દર્દીઓ પણ આ વાનગીને બિન્દાસ્તપણે આરોગી શકે છે.

ઘૂટો ત્રણ કલાકે, વરાળિયુ બે કલાકે થાય છે તૈયાર
જસમતભાઈ ભીમાણીએ જણાવ્યું કે ઘૂટો તૈયાર કરવામાં અઢીથી ત્રણ કલાક જેવો સમય લાગી જાય છે તો વરાળિયુ તૈયાર કરવામાં દોઢથી બે કલાક લાગે છે મતલબ કે સમય માંગી લેતી આ બન્ને વાનગી તૈયાર થયા બાદ તેને ખાવામાં જે મજા આવે છે તે બીજી વાનગીઓમાં નથી આવતી.

ઘૂટો-વરાળિયાનો ટેસ્ટ ક્યાં માણી શકશો ?
રાજકોટમાં આમ તો બન્ને વાનગી ઘણી જગ્યાએ મળે છે પરંતુ એકદમ હટ કે ઘૂટો-વરાળિયુ ખાવું હોય તો સાધુ વાસવાણી રોડ પર જૂના અજંતા કોમ્પલેક્સ નજીક રાજ પેલેસની સામે ભીમાણી ઘૂટો-વરાળિયુ નામની શોપ છે જ્યાં મસ્ત-મજાની વાનગીનો આસ્વાદ માણવા મળશે.

બન્ને વાનગીનો એક જ જગ્યાએથી દરરોજ ૧૫૦ કિલોનો ‘ઉપાડ'

ભીમાણી ઘૂટો-વરાળિયાની વાત કરવામાં આવે તો શનિ-રવિને બાદ કરતાં સોમથી શુક્રવાર સુધીમાં બન્ને વાનગીઓનો ૧૫૦ કિલોથી વધુનોઉપાડ’ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે પીત્ઝા-બર્ગરથી કંટાળેલો યુવાવર્ગ હવે આ દેશી વાનગી તરફ આકર્ષિત થયો છે જે આપણા માટે જમાપાસું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ‘લાયન સફારી પાર્ક’ને મંજૂરી

Next

ઘરબેઠા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ ૧૪ માર્ચ સુધી થઈ શકશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
16 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
16 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
17 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભાજપ દેશનું બંધારણ બદલી નાંખવા માગે છે : પ્રિયંકા ગાંધી
ગુજરાત
1 વર્ષ પહેલા
અમદાવાદમાં ભારતનું પહેલું બુલેટ ટ્રેન ટર્મિનલ કેવું હશે ? રેલવે મંત્રીએ શેર કર્યો વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિમણૂક
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અદાલતે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને રાજ્યસભામાં શપથ લેવા માટે બીજીવાર મંજૂરી આપી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર