બદલી કી આગ : આંખે પાટા બાંધી નોકરી કરનારા અંતે ફંગોળાયા
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીર દેસાઈને હટાવાયા:
મ્યુનિ.કમિશનર આનંદ પટેલની જગ્યાએ `ઔડા’ના ચેરમેન ડી.પી.દેસાઈ
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે અમદાવાદના સેક્ટર-૨ના જેસીપી બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર તરીકે કચ્છ-ભૂજના ડીઆઈજી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી તરીકે સેન્ટ્રલ જેલ-વડોદરાના એસપી જગદીશ બંગરવા મુકાયા
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટનાના લબકારા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને અડી' ગયા છે. સરકાર દ્વારા રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈને તાત્કાલિક અસરથી હટાવી દેવાનો હુકમ કરતાં પોલીસ અને મહાપાલિકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડીસીપી તેમજ મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટીંગ વગરના રાખી દીધા છે જે આ અધિકારીઓ માટે સૌથી મોટી
સજા’ ગણાશે. આ ગોઝારી દૂર્ઘટનામાં બે પીઆઈ સહિતના સાત નાના-મોટા અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરાયા બાદ મોડી સાંજે સરકારે આઈએએસ-આઈપીએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો હતો.
રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે અમદાવાદના સેક્ટર-૨ જેસીપી બ્રિજેશ કુમાર ઝાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અધિક પોલીસ કમિશનર તરીકે કચ્છ-ભૂજના ડીઆઈજી મહેન્દ્ર બગરીયા અને ડીસીપી ઝોન-૨ તરીકે સેન્ટ્રલ જેલ-વડોદરાના એસપી જગદીશ બંગરવાને મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે મ્યુનિ.કમિશનર આનંદ પટેલની જગ્યાએ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા)ના ચેરમેન ડી.પી.દેસાઈની બદલી કરાઈ છે.
રાજકોટના સળંગ બીજા પોલીસ કમિશનરની દાગદાર' બદલી ! રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી થઈ છે ત્યારે તેઓ સળંગ એવા બીજા કમિશનર છે જેમની બદલી
દાગદાર’ રહેવા પામી છે ! અગાઉ મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર હતા ત્યારે આખા રાજ્યમાં `તોડકાંડ’ ગાજ્યો હતો અને તેના કારણે તેમની બદલી કરવામાં આવી હતી. જ્યારે રાજુ ભાર્ગવની બદલી ટીઆરપી ગેઈમ ઝોન આગકાંડને કારણે થઈ છે. બીજી બાજુ તેમને પોસ્ટીંગ પણ આપવામાં આવ્યું નથી.
૧૩ના ઉગઅ સેમ્પલ મેચ થતાં પરિવારને મૃતદેહ સોંપાયા
અગ્નિકાંડમાં ભડથું થયેલા લોકોના મૃતદેહની ઓળખ મેળવવા માટે ડીએનએ રિપોર્ટ લેવામાં આવ્યા હતા. જેમાં રિપોર્ટ મેચ થતાં ૧૩ લોકોના પરિવારજનોને મૂતદેહ સોંપવામાં આવ્યા છે. અને જેમ-જેમ રિપોર્ટ આવશે તેમ પરિવારને જાણ કરી મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવવાની છે. માહિતી મુજબ પોલીસ દ્વારા સત્યપાલસિહ છત્રપાલસિહ જાડેજા,સ્મિત મનીષભાઈ વાળા,સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા,જીગ્નેશ કાળુભાઇ ગઢવી,ઓમદેવસિહ ગજેન્દ્રસિહ ગોહિલ,વિશ્વરાજસિહ જશુભા જાડેજા,આશાબેન ચંદુભાઈ કાથડ,વિરેન્દ્રસિહ જાડેજા અને ધર્મરાજસિહ જાડેજાના ડીએનએના સેમ્પલ મેચ થતાં તેના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. જ્યારે આ મામલે એસીપી રાધિકા ભરાઈએ જણાવ્યું હતું કે, જેના ડીએનએ રિપોર્ટ મેચ થઈ રહ્યા છે. તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહ સોંપવામાં આવ્યા છે. આ સાથે જ અમે હેલ્પ લાઈન નંબર ૭૬૯૮૯૬૩૨૬૭ પણ જાહેર કર્યો છે.