વરસાદની સાથે જ રોગચાળો બંબાટ’: ડેંગ્યુના સળંગ બીજા સપ્તાહે ૧૯ કેસ
મેલેરિયા-ચિકનગુનિયાની પણ આગેકૂચ: વરસાદ
પોરો’ ખાય એટલે રોગચાળો સ્પ્રીંગ'ની જેમ ઉછળવાની ભીતિ
રાજકોટમાં સળંગ ચાર દિવસ સુધી એકધારો વરસાદ વરસવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. બીજી બાજુ રોગચાળો પણ પૂરપાટ ઝડપે વધી રહ્યો હોય તેવી રીતે ડેંગ્યુના સળંગ બીજા સપ્તાહે ૧૯ કેસ મળતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧૯થી ૨૫ સુધીના સાત દિવસમાં જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પ્રમાણે સાત દિવસમાં ડેંગ્યુના ૧૯ (વર્ષના ૯૦), મેલેરિયા-ચિકનગુનિયાનો એક-એક કેસ મળ્યો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૦૩૪, સામાન્ય તાવના ૫૮૫, ઝાડા-ઊલટીના ૨૨૦ અને ટાઈફોઈડના ૮ કેસ નોંધાયા છે.
પાછલા સપ્તાહ મતલબ કે ૧૨-૯થી ૧૮-૮ સુધીના સાત દિવસ દરમિયાન પણ રોગચાળો ચિંતાજનક હદે નોંધાયો હતો અને ત્યારે પણ ડેંગ્યુના ૧૯ કેસ નોંધાયા હતા. આ રીતે માત્ર ૧૪ દિવસમાં ડેંગ્યુના ૩૮ કેસ સત્તાવાર રીતે નોંધાઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. હજુ વરસાદ વિરામ લેશે એટલે રોગચાળો
સ્પ્રીંગ’ની જેમ ઉછળશે તેવું પણ નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે.