Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

નિસ્વાર્થ ભાવે નિરાધારો માટે ચાલતો અનોખો સેવા યજ્ઞ

Mon, March 11 2024

વૃદ્ધાવસ્થામાં જીવનના અંતિમ દિવસો પસાર કરતાં વડીલો માટે આશરાનું ઘર એટલે “ચંદ્રશ્રુતિ”: નિરાધાર વડીલોની સેવા કરવા રાજકોટના ઉદ્યોગપતિ પરિવારે માદરે વતન માણાવદરમાં બનાવ્યો વૃદ્ધાશ્રમ

જીવનના અંતિમ પડાવમાં જીવન પસાર કરતાં નિરાધાર વૃદ્ધો માટે રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેમના પરિવારે પોતાના વતન માણાવદર નજીક 5 વિઘામાં વૃદ્ધાશ્રમ “ચંદ્રશ્રુતિ” વર્ષ 2021માં બનાવ્યો હતો. માણાવદરથી 6 કિલોમીટર દૂર કુદરતના ખોળે અને પ્રદૂષણથી મુક્ત વાતાવરણમાં બનેલા આ ચંદ્રશ્રુતિમાં પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે. અહી 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને સંતાનમાં જેમને પુત્ર ન હોય તેમને પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ચંદ્રશ્રુતિમાં 32 વડીલ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે.

ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં બંને બાજુ 8-8 રૂમ આવેલા છે. એક રૂમમાં બે વડીલ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ પતિ-પત્ની અહી રહેવા આવે તો તેમને અલગથી રૂમ ફાળવવામાં આવે છે. જ્યારે દરેક રૂમમાં સામાન્ય લોકોના ઘરમાં પણ ન હોય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અલાયદા પલંગ ઉપરાંત કપડા સહિતની અન્ય જરૂરી વસ્તુઓ રાખવા માટે કબાટ પણ આપવામાં આવ્યા છે. હાલમાં ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં 7 મહિલા અને 12 પુરુષ એમ કુલ 19 વડીલ રહે છે. આ વડીલો ગોંડલ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાંથી આવેલા છે. આખા ચંદ્રશ્રુતિમાં લીલા ઘટાદાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. તો વળી 1 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેમાં ઉગાડવામાં આવતા શાકભાજીમાંથી અહી રહેતા વડીલો માટે ભોજન બનાવવામાં આવે છે.

વડીલો માટે જમવાની પણ સુંદર વ્યવસ્થા છે. આ માટે બે રસોઇયાનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. રોટલી, શાક, દાળ-ભાત, અથાણાં અને સલાટ સહિતનું ભોજન વડીલોને પીરસવામાં આવે છે. દરરોજ સવાર અને સાંજે સત્સંગ હોલમાં સત્સંગ કરવામાં આવે છે. આ ઉપરાંત વડીલો માટે દર મહિને એકવાર પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જ્યારે નવરાસની પળોમાં સમય પસાર કરવા માટે ધાર્મિક પુસ્તકો અને રમત ગમત માટે ચેસ, કેરમ જેવી ગેમ્સ પણ રાખવામાં આવી છે.

ચંદ્રશ્રુતિમાં ધાર્મિક ઉત્સવોની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિના પર્વ પર અસાપાસના ગામની નાની-નાની દિકરીઓ માટે ચંદ્રશ્રુતિમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમની સાથે અહી રહેતા વડીલો પણ નવરાત્રી પર્વની ઉજવણી કરે છે. અહી રહેતા વડીલોના આરોગ્યની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. ફિટનેસ માટે જીમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં જુદી-જુદી કસરતના સાધનો પણ રાખવામાં આવ્યા છે. રાજુભાઇ દોશી રાજકોટમાં ક્લિનિક ચલાવે છે ત્યારે રાજકોટ જેવુ જ ક્લિનિક અહી પણ ઉભુ કરવામાં આવ્યું છે. દર મહિને રાજકોટથી માણાવદર વૃદ્ધાશ્રમની મુલાકાત માટે રાજુભાઇ આવે ત્યારે વડીલોના આરોગ્યની તપાસની કરી વડીલોને જરૂરી દવા પણ આપવામાં આવે છે. 

ચંદ્રશ્રુતિને આર્થિક નહી, સમય દાનની જરૂર

વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જેવા આશ્રમોમાં લોકો પોતાની ક્ષમતા પ્રમાણે આર્થિક દાન આપતા હોય છે ત્યારે રાજુભાઇ દોશીએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, વૃદ્ધાશ્રમમાં વડીલો રહે છે. જેમને જરૂર હોય છે કે કોઈ તેમની પાસે બેસે અને તેમની વાત સાંભળે. તેમની સાથે સમય પસાર કરે. આજના સમયમાં રૂપિયાનું દાન કરનારા અસંખ્ય લોકો છે પરંતુ વડીલો પાસે બેસીને તેમની સાથે સમય પસાર કરનારા લોકો ઓછા છે. માટે અમે ચંદ્રશ્રુતિમાં આર્થિક દાન નહી સમય દાનની અપીલ કરીએ છીએ.

પત્ની-પરિવારની ઈચ્છા હતી કે વડીલોની સેવા માટે કઈક કરવું જોઈએ: રાજુભાઇ દોશી

પોતાના વતનમાં વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? તે વિષે વાત કરતાં રાજુભાઇ દોશી જણાવે છે કે, વર્ષ 2010માં મારી પત્ની રીટાને નિરાધાર વડીલોની સેવા કરવાનો વિચાર આવ્યો અને આ વિચાર પરિવાર સમક્ષ મૂક્યો. પરિવાર પણ આ વિચાર સાથે સંમત થયો. હાલ અમે રાજકોટમાં વેપાર-ધંધા સાથે સંકળાયેલા છીએ. એટલે રાજકોટમાં જ રહી છીએ. પરંતુ વતનથી દૂર થવાનું મન થતું નથી અને એટલે જ અમે અમારા વતન મણાવદરમાં વૃદ્ધાશ્રમ ચંદ્રશ્રુતિ બનાવવાનો નિર્ણય કર્યો.

બે મિત્રો આપે છે ચંદ્રશ્રુતિમાં નિ:શુલ્ક સેવા

રાજકોટના ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેમના પરિવારે માણાવદરમાં બનાવેલા ચંદ્રશ્રુતિ વૃદ્ધાશ્રમમાં દેખરેખ અને વડીલોની સાર-સંભાળ માટે આમ તો 6 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. પરંતુ બે વ્યક્તિ એવા છે કે જેઓ અહી નિ:શુલ્ક સેવા આપે છે. રાજુભાઈના મિત્રો ગિરીશભાઈ સોમૈયા(નિવૃત માણાવદર નગરપાલિકા કર્મચારી) અને અભયભાઈ પારેખ અહી નિ:શુલ્ક સેવા આપે છે. આ બંને લોકો સવારથી જ ચંદ્રશ્રુતિ ખાતે આવી જાય છે અને વૃદ્ધાશ્રમની કામગીરી સંભાળે છે. ઉપરાંત વડીલોની સાર-સંભાળ પણ લે છે. 

Share Article

Other Articles

Previous

રાત્રે હનુમાનજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ એટલે કહેવાયા “રાતીયા હનુમાન”

Next

નવા ચૂંટણી કમિશનરોની જલ્દી નિયુક્તિ થશે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 15મી માર્ચે મહત્વની બેઠક મળશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
3 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
3 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
3 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

પાકમાં હિંસા માટે ઈસ્લામિક સ્ટેટે મહિલા આતંકીઓ ગોઠવી, વ્યાપક હિંસા થઈ શકે
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દક્ષિણ આફ્રિકામાં અતિ ભારે વરસાદને પગલે ભયંકર પૂર, 50 લોકોના મોત
Breaking
1 મહિના પહેલા
ડીસાની ફટાકડા ફેક્ટરી પાસે લાઈસન્સ જ ન હતું, માલિક દીપક સિંધી હાલ ફરાર : બે ની ધરપકડ કરી હોવાની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ભૂકંપે વિનાશ વેર્યો : મ્યાનમાર સહિત 5 દેશોમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, 55થી વધુ લોકોના મોત; જુઓ ભયાવહ વિડીયો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર