મારવાડી કોલેજના વિધાર્થીને સહપાઠીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી
તમારે ભણવા માટે ન આવવુ જોઇએ, ભણવાનો અધિકાર તો ખાલી અમારો જ કહેનાર વિધાર્થી સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો
રાજકોટની મારવાડી કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતાં દલિત વિધાર્થીને સાથે ભણતા અન્ય વિધાર્થીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતા આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ જેતપુરના અને હાલ રાજકોટ ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે ફઈ ગંગાબેન નગવાડીયાના ઘરે રેહતો અને મારીવાડી યુનીવર્સીટી ખાતે બી.કોમ સેમેસ્ટર સેમ-૩ માં અભ્યાસ કરતાં યશ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.વ.૨૦)એ નોંધાવેલી ફરિયાદમાં તેની સાથે અભ્યાસ કરતાં પ્રિયંશ ગુદીગરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા.૦૬/૧૦/૨૦૨૩ ના યશ તેના નિત્ય ક્રમ મુજબ સવારે મારવાડી યુનીવર્સીટી ખાતે ગયેલ હતો ત્યારે કલાસના મેડમ આવેલ ન હોય અને કલાસનો દરવાજો બંધ હોય યશ ઉપરાંત બીજા વિધાર્થીઓ આર્યરાજસિંહ રાઠોડ,જય મહેતા, અર્જુનસિંહ કલાસ રૂમની બહાર બેઠેલ હતા.ત્યારે કલાસ રૂમમાં અભ્યાસ કરતો પ્રિયાંશભાઇ ગુદીગરા યશ પાસે આવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમારે ભણવા માટે ન આવવુ જોઇએ, ભણવાનો અધિકાર તો ખાલી અમારો જ છે”. તેમ કહેતા તેણે કહેલ કે તારાથી થાય તે કરી આ બાબતે મારવાડીના એચ.ઓ.ડી મોનીકાબેન વર્માને મેઇલ કરી ફરીયાદ કરેલ હતી. જેનો ખાર રાખી પ્રિયાંશભાઇ ગુદીગરાએ ગાળો આપી ધમકી આપતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.