જેતપુરના મહિલા કોન્સ્ટેબલઆપઘાત કેસમાં સાથી પોલીસમેન સામે ગુનો નોંધાયો
મહિલા કોન્સ્ટેબલને પ્રેમજાળમાં ફસાવી આત્મહત્યા માટે મજબૂર કર્યાની પિતાની ફરિયાદ
જેતપુરના મહિલા કોન્સ્ટેબલ દયા સર્રિયા આત્મહત્યા કેસમાં તેના પિતા શંભુભાઇ લવાભાઇ સરીયાની ફરિયાદને આધારે પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા કોન્સ્ટેબલને આપઘાત માટે મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી અભીરાજસિંહની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
મૃતકના પિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે અભિરાજસિંહ પોતે પરિણિત હોવા છતાં પુત્રીને કોન્સ્ટેબલને પ્રેમ જાળમાં ફસાવી તેને મરવા માટે મજબૂર કરવામાં આવી હતી.મૃતકદયાબને પોલીસ કોન્સ્ટેબલ સાથે અંતિમ સમય સુધી પોલીસ કોન્સ્ટેબલ સંપર્કમાં હતા. તેની સાથેની વોટ્સઅપ ચેટ પણ સામે આવી હતી.ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે,આત્મહત્યા પહેલા મહિલા કોન્સ્ટેબલે અભયરાજસિંહ જાડેજાને ગળેફાંસો ખાતી સેલ્ફી પણ મોકલી હતી. મૃતક છેલ્લા અઢી વર્ષથી જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતાં. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલદયાબેન શંભુભાઈ સરીયાના આપઘાતના બનાવમાં અભયરાજસિંહ જાડેજાસામે ગુનો નોંધી વધુ તપાસ પી. આઈ શ્રી એ.એમ.હેરમા ચલાવી રહ્યા છે.