રાજકોટની બેઠક ઉપર આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે
રાજકોટ લોકસભાની બેઠક ઉપર છેવટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહે છે તે આજે સ્પષ્ટ થઇ જશે. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે અને બપોરે ૩ વાગ્યા સુધી દાવેદારી પરત ખેંચી શકાય છે.
રાજકોટમાં કુલ ૧૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આ દસ ઉમેદવારોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસનાં પરેશ ધાનાણી ઉપરાંત બસપાના સવસાણી ચમનભાઈ તેમ જ અપક્ષ ઉમેદવારો અમરદાસ દેસાણી, પ્રકાશભાઈ સિંધવ, ભાવેશ આચાર્ય, નયન ઝાલા, નિરલ અજાગીયા, જીજ્ઞેશ લુહાર અને ભાવેશ પીપળીયાનો સમાવેશ થાય છે.
સોમવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં આ ૧૦ પૈકી જો કોઈ ઉમેદવારો દાવેદારી પાછી ખેંચી લ્યે તો ચૂંટણી જંગમાં ૧૦ ઉમેદવારો રહેશે અને તંત્રને એક જ ઈવીએમની જરૂર પડશે.
આજે રાજકોટ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પણ ચૂંટણી ચીન્ત્ર સ્પષ્ટ થઇ જશે. આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયા પછી વહીવટી તંત્ર મતદાનની તૈયારીમાં પડી જશે અને ઉમેદવારો પોતાનો પ્રચાર વધુ ઝડપે શરૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે ૭મી મેએ મતદાન થવાનું છે.