મેટોડામાં ૧૫ આદિવાસી યુવાનો ઉપર અત્યાચાર મધ્યપ્રદેશમાં ફરીયાદ
ચોરીનું આળમૂકી શ્રમિકોને ગોંધી રાખી બેફામ મારમાર્યો હતો
મામલો પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાસે પહોચ્યા બાદ રાજકારણ પણ ગરમાયું
રાજકોટ
રાજકોટન મેટોડામાં આવેલી એક કંપની માં નોકરી કરતા મધ્યપ્રદેશના અનૂપપુરના ૧૫ જેટલા આદિવાસી યુવાનો ઉપર પર ચોરીનું આળ મૂકીને તેમને બંધક બનાવી માર માર્યા બાદ આદિવાસી યુવાનોને તેના વતન મોકલી દેવામાં આવ્યા બાદ આ મામલો મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાસે પહોચ્યો હતો આ મામલે કમલનાથે આ મામલે શિવરાજસિંહ સરકાર સામે આક્ષેપો કરી આ ઘટના અંગે કાર્યવાહી કરવા માંગ કરી છે.બીજી તરફ આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ સાથે વાતચીત કરતા તેમણે આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરીયાદ માટે આવ્યું નથી જો આ મામલે ફરીયાદ નોધાવવા માટે કોઈ તૈયાર હશે તો અમે ચોક્કસ ગુનો દાખલ કરી દેશું
અત્યાચારનો ભોગ બનેલા ૧૫ આદિવાસી યુવાનો રાજકોટના મેટોડા ખાતે આવેલી કેબલ કંપનીમાં નોકરી કરતા હતા તમામ મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના છે આ બનાવ ગત 4 ઓગસ્ટના રોજ બન્યો હતો જેમાં કંપનીમાં 891 કિલો તાંબાના સ્ક્રેપની ચોરી થઈ ત્યારે આ યુવાનો પર ચોરીનું આળ મૂકીને કંપનીના મેનેજર અને ડ્રાઇવરે તેમને પટ્ટાથી માર માર્યો પહોંચ્યો હતો, અને મોબાઈલ ફોન તેમજ આધારકાર્ડ લઇ તમામને ગોંધી રાખ્યા હતા. બાદમાં મામલે સમાધાન કરાવીને લેખિતમાં સમાધાન કરાવી લેવાયું હોવાનું લખાણ કરાવી ૧૫ આદિવાસી શ્રમિકોને ટ્રેનમાં તેમના વતન અનૂપપુર મોકલી દીધા હતા. આજે આદિવાસી દિવસ હોય ત્યારે આ ૧૫ આદિવાસી યુવાનો સાથે થયલે અત્યાચાર બાબતે મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાસે પહોચ્યો હતો તેમણે ફરીયાદ માટે શિવરાજસિંહ સરકારને રજૂઆત કરી હતી જોકે આ મામલે હજુ સુધી રાજકોટ લોધિકા પોલીસ પાસે કોઈ ફરીયાદ પહોચી નથી પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે આ મામલે પોલીસ ગુનો દાખલ કરસે તેવી ખાત્રી આપી હતી.
બોક્ષ
ત્રણ શખ્સો સામે ઝીરો નંબરથી ગુનો નોંધાયો છે: એડીજી શહડોલ
આ ઘટનામાં મધ્યપ્રદેશના શહડોલના એડીજી ડી.સી.સાગરે જણાવ્યું કે, ગુજરાતના રાજકોટના મેટોડા ખાતે આવેલી કેબલ કંપનીમાં ૧૫ આદિવાસી યુવાનો સાથે જે અત્યાચારની ઘટના બની તે મામલે હાલ ઝીરો નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કંપનીમાં આદિવાસી યુવાન સંતલાલ,મુકેશ,શિવમ અને પ્રેમલાલ નામના શ્રમિકોને મારમારવા અંગે કંપનીના ફકરુંદિન,ધવલ અને દીપક સામે આઈપીસી કલમ ૨૯૪,૩૨૩,૫૦૬,૩૪ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે જે ફરીયાદ રાજકોટ જિલ્લા પોલીસને મોકલવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ કરશે.