કોઈપણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન નથી : પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
-જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારાયોજાયો હ્ર્દયસ્પર્શી કાર્યક્રમ
-રાજકોટમાં સ્થાપનાર ડાયાબિટીસ રિસેર્ચ સેન્ટર માટે લાખો રૂપિયા દાન ની સરવાણી વહી
-શંભુભાઇ પરસાણા, હરીશભાઈ લાખાણી, મુકેશભાઈ શેઠ, રાજુભાઈ પોબારુ, યોગેશભાઈ લાખાણી સાંસદ રામભાઈ મોકરિયા સહીત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
જો સમાજ માટે સંત દિલ અને શ્રીમંત લોકો દિલ દ્રવ્યનો કરેલો કોઈપણ વ્યક્તિ કંગાળ કે દિન ન રહે આ વાત ગત રવિવારે શહેરના હેમુગઢવી હોલ હોલ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસ ફોઉન્ડેશન (જે ડી એફ ) રાજકોટ દ્વારા યોજાયેલ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો બાળકો માટે યોજાયેલ હ્ર્દયસ્પર્શી કાર્યક્રમ;માં સંત પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કરી હતી ભાઈશ્રીએ જણાવ્યું કે ટાઈપ -1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના પરિવારને સંધિપારો આપવો તે દરેકને ફરજ છે.
વર્તમાનમાં કોરોના બાદ હૃદયરોગ ને કારણે મુત્યુ પામનારની સંખ્યા વધી છે તેનો ઉલ્લેખ કરી પૂ. ભાઈશ્રી જણાવ્યું કે તે ચિંતા સાથે ચિંતનનો વિષય છે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બીજા ના દર્દને જોઇ જેના દિલમાં દુઃખ ના થાય તે હાર્ટફેઇલ થયું કહેવાય સમાજના નાનામાં નાની વ્યક્તિનું દર્દ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધી દિલ નકામું છે. ડાયાબિટીસ ટાઈપ-1 ધરાવતા બાળકોનો ઉલ્લેખ કરી તેમને કહ્યું કે જે બાળકો દર્દ લઇ જન્મે છે. તે કઈ જાતિ, કોણ માં-બાપ કે ક્યાં પરિવાર માં જનમ્યું તે પ્રારબ્ધ અનુસાર નક્કી જ હોય છે
પોતાના વક્તવ્ય ના અંતમાં તેઓએ નિરાશાવાદી લોકોની દૂર રહેવા સાથે ,હાલમાં સમગ્ર વિશ્વમાં માનસિક રોગની સમસ્યા ત્વરિત ઝડપે વધી રહી છે તે બાબતે જણાવ્યું કે આ સમસ્યા ગંભીર છે અને તેની સામે જાગવું જરૂરી છે કથા – આધ્યાત્મિક પ્રવચન અને સત્સંગ જ આ માનસિક રોગને દૂર કરી શકે છે. પરમાત્મા પર વિશ્વાસ રાખી તે આપણી સાથે જ છે
આ પહેલા કાર્યક્રમની શરૂઆત માં પૂ. ભાઈશ્રી તેમજ મહાનુંભાવો દીપ પ્રાગટ્ય કર્યું હતું. પૂ. ભાઈશ્રી નું પુષ્પગુચ્છ તેમજ શાલઓઢાડી સન્માન સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થા મુખ્ય ટ્રસ્ટી અપુલભાઈ દોશી એ મહેમાનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું આ સંસ્થાને 19 વર્ષ થયા છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માંથી 1750 બાળકો નોંધાયા છે. જેમને ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગથી નિઃશુલ્ક તેમજ ટોકન દરે સારવાર અપાય છે. 500 બાળકો વિનામૂલ્યે દર મહિને સારવાર અપાઈ રહી છે આ ક્રાયક્રમ સમયેજ શંભુભાઇ પરસાણા, મનીષભાઈ માદેકા તરફથી, અગિયાર લાખ રાજુભાઈ પોબારુ તરફથી પાંચ લાખ દાન મલ્યુ હતું
વધુમાં JDFદ્વારા યોજાયેલ ટાઈપ-1 ડાયાબિટીસના કેમ્પમાં કુલ 800બાળકોએ ભાગ લીધો હતો.બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવેલ જયારે ડો.હેમાંગભાઈ વસાવડાના સહકારથી આ કેમ્પ માટે 2દિવસ કોઈપણ જાતના ચાર્જ વસૂલ્યા વગર નાગર બોર્ડિંગ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ અજયભાઈ લાખાણીએ કરી હતી.
આ કાર્યક્મ ને સફળ બનાવવા જે.ડી.એફ.ના અપુલભાઈ દોશી તેમજ સમગ્ર ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્મનું સુંદર સંચાલન હરિકૃષ્ણ પંડ્યાએ કર્યું હતું