અંધશ્રદ્ધામાં અંધ માતા-પિતાએ બાળકીને ડામ દેવડાવ્ય બાદ મોત
ઉધરસ અને શરદી મટાડવા દસાડામાં દેવદાવેલ સોયના ડામ જીવલેણ બન્યા
વોઈસ ઓફ ડે રાજકોટ
વિરમગામમાં રહેતાં શ્રમિક પરિવારની ૧૦ માસની પુત્રી કોમલ પ્રવિણ સુરેલાને અંધશ્રદ્ધામાં અંધ બનેલી માતા-પિતાએ ઉધરસ અને શરદી મટાડવા માટે સુરેન્દ્રનગરના દસાડા ગામે આવેલા શિકોતર માતાના મંદિરે લઇ જઈ ત્યાં રહેતાં ડોસીમા પાસે સોયના ડામ દેવડાવ્યા બાદ બાળકીની હાલત બગડતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
વિરમગામના અલીગઢ વિસ્તારના ઝુપડામાં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં પ્રવિણ ચતુરભાઇ સુરેલાની ૧૦ માસની પુત્રી કોમલને ખુબ ઉધરસ અને શરદી હોય ઘરગથ્થુ ઉપચાર અને સ્થાનિક ડોકટરની દવા લીધા બાદ પણ દિકરીને સારુ થતું ન હોય પડોશીના કહેવાથી અંધશ્રદ્ધાળું માતા પિતા કોમલને સુરેન્દ્રનગરના દસડા ગામે શિકોતર માતાના મંદિરે રહેતાં શકરી ડોસીને ત્યાં બિમારીમાં ડામ આપવવા લઇ ગયા હતા ડોસીમાએ સોય ગરમ કરી બાળકીના પેટમાં ત્રણ ડામ દીધા હતાં બાદમાં કોમલની તબિયત લથળી હતી અને માસુમ બાળકી કોમલનું આજે મોત નિપજ્યું છે. આ મામલની જાણ વઢવાણ પોલીસને કરતાં ડોસીમાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.