ઊદયનિધિએ ફરી બકવાસ દોહરાવ્યો, કહ્યું સનાતનનો નાશ કરવો જ પડશે
રાજ્યપાલે કરેલી ટીકાનો જવાબ આપ્યો, ડીએમકે બેફામ
તમિલનાડુના યુવા બાબતો અને રમતગમત પ્રધાન ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સ્ટાલિન તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો. અગાઉ રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ્યમાં જાતિ આધારિત ભેદભાવ ઘણો છે. સનાતનનો નાશ કરવાની જરૂર નથી, કારણ કે અહીં જન્મના આધારે બધા સમાન છે.
જેના જવાબમાં સ્ટાલિને કહ્યું હતું કે ‘જાતિના ભેદભાવના કારણે તેઓ સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે. સનાતન ધર્મ નાબૂદ કરવો પડશે. અમે જાતિના આધારે ભેદભાવને સમાપ્ત કરવાની પણ વાત કરીએ છીએ. રાજ્યપાલ પણ એવું જ કહી રહ્યા છે. અમારું માનવું છે કે જન્મ આધારિત જાતિ નાબૂદ થવી જોઈએ. જ્યાં પણ જાતિના આધારે ભેદભાવ થાય છે હું તે ભેદભાવને સમાપ્ત કરવા માંગુ છું.
તમિલનાડુના રાજ્યપાલે શું કહ્યું હતુ?
તમિલનાડુના રાજ્યપાલે રવિવારે (17 સપ્ટેમ્બર) કહ્યું હતું કે સમાજમાં સામાજિક ભેદભાવ છે, જે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું હતું કે ‘અહીં અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવ છે. અનેક સમાજના લોકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. તે પીડાદાયક છે. હિન્દુ ધર્મ આવું કહેતો નથી. હિન્દુ ધર્મ સમાનતાની વાત કરે છે.