સનીદેઓલ ની વિલાની હરાજીની નોટીસ અચાનક પરત ખેંચાઈ
ફિલ્મ અભિનેતા સની દેઓલ ની જુહુ ખાતે આવેલી વીલાની હરાજી કરવાની ઈ ઓપ્શન નોટિસ બેંકે માત્ર 24 કલાકમાં જ ‘ટેકનિકલ કારણોસર’ પરત ખેંચી લેતા વિવાદ થયો છે. કોંગ્રેસે કોના ઇશારે આ ટેકનિકલ કારણો શોધી કાઢ્યા તેનો ખુલાસો કરવા માગણી કરી છે
સની દેઓલ એ બેંક ઓફ બરોડાની 55.99 કરોડની લોન ભરપાઈ ન કરતા 25 મી ઓગસ્ટે તેમની વિલાની હરાજી કરવાની બેંકે જાહેરાત આપી હતી.જો કે એ પછી અચાનક જ ભેદી સંજોગોમાં નોટિસ પરત ખેંચી લેવાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
નોંધનીય છે કે સન્ની દેઓલ ભાજપના સાંસદ છે. 2019 માં પંજાબની ગુરુદાસપુર ની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખરને પરાજીત કરી તેઓ સાંસદ બન્યા હતા. હરાજીની નોટિસ એક વખત પ્રસિદ્ધ થઈ ગયા પછી પરત ખેંચવા પાછળ સરકારી દબાણ કામ કરી ગયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.