લે બોલો !! ઉત્તરવહીમાં ‘જય શ્રીરામ’ અને ફિલ્મી ગીતો લખનાર છાત્રો પાસ
ઉત્તર પ્રદેશમાં જાનુપર ખાતે આવેલી રાજ્ય સરકાર સંચાલિત વીર બહાદુર સિંઘ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં જય શ્રી રામ ,ધાર્મિક સૂત્રો,ક્રિકેટરોના નામ અને હિન્દી ફિલ્મી ગીતો લખનાર વિદ્યાર્થીઓને પૈસા લઈને પાસ કરી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
એક આરટીઆઇ ના અનુસંધાને થયેલી તપાસમાં આ ભાંડો ફૂટ્યો હતો.
કેટલીક ઉત્તરવહીઓની પુનઃ ચકાસણીમાં નાપાસ થવાને લાયક વિદ્યાર્થીઓને પણ વધુ માર્કસ સાથે પાસ કરી દેવામાં આવ્યા હતા. દિવ્યાનુંસિંઘ નામના વિદ્યાર્થી નેતાએ શૂન્ય માર્કસ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓને 60 ટકા માર્ક આપી દેવાયા હોવાની વડાપ્રધાન, મુખ્યમંત્રી,ગવર્નર તથા વાઈસ ચાન્સેલરને ફરિયાદ કર્યા બાદ ગવર્નરે તપાસ કરવા માટે વાઇસ ચાન્સેલરને સૂચના આપી હતી. તેના અનુસંધાને નીમવામાં આવેલી તપાસ સમિતિએ કૌભાંડ થયાનું સ્વીકાર્યું હતું. બાદમાં બે પ્રોફેસરોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.