વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇજિરિયા, બ્રાઝિલ અને ગુયાનાના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઇઝીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસીય યાત્રા પર રવાના થયા છે. નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં **G20 શિખર સમ્મેલનમાં સામેલ થશે. ત્રણ દેશોની યાત્રા પર રવાના થતા પહેલા શનિવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નાઇઝીરિયાના રાષ્ટ્રપતિ અહમદ ટીનૂબૂના આમંત્રણ પર હું પહેલી નાઇઝીરિયા યાત્રા પર જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીએ પશ્ચિમી આફ્રીકામાં નાઇઝીરિયાને ભારતનું સૌથી નજીકનું સાથી બતાવ્યું.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, મારી યાત્રા ભારત-નાઇઝીરિયાની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અવસર હશે, જે લોકશાહી અને વિવિધતામાં બંનેના વિશ્વાસ પર આધારિત છે.
છેલ્લા 17 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન નાઈઝીરિયાનો પ્રવાસ કરશે. અગાઉ 2007માં તત્કાલીન વડાપ્રધાન ડો. મનમોહનસિંહે નાઈઝીરિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદી નાઈઝીરિયાનો આ પ્રવાસ ત્યાંના રાષ્ટ્રપતિ ટીનૂબૂના આમંત્રણ પર કરી રહ્યાં છે. જેમાં આગામી 17 નવેમ્બરે મોદી ટીનૂબૂ સાથે પ્રતિનિધિમંડળ સ્તરીય દ્વિપક્ષીય મુલાકાત કરશે. આ પછી વડાપ્રધાન મોદી નાઈઝીરિયાની રાજધાની અબુજા ખાતે ભારતીય સમુદાયના લોકોને સબંધિત કરશે અને પછી બ્રાઝિલ જવા રવાના થશે.