સમિટનું સમાપન, નવેમ્બરમાં ફરી વર્ચુઅલ સમિટની મોદીની જાહેરાત
વડાપ્રધાને વિશ્વશાંતિનો સંદેશ આપ્યો: જી -20 ના નેતાઓ પ્રસન્ન થઈ વતન રવાના, વિશ્વમાં ભારતનો વટ,છેલ્લું વન ફ્યુચર સત્ર યોજાયું
દીલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ બે દિવસીય જી -20 સમિટનું સમાપન થયું હતું અને વિશ્વનેતાઓએ પ્રસન્ન થઈને ભારતની વાતો સ્વીકારી છે. અંતિમ સત્ર વન ફ્યુચર મુદ્દે યોજાયું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સમાપણની ઘોષણા કરી હતી.
સાથોસાથ વડાપ્રધાન મોદીએ એવી જાહેરાત પણ કરી હતી કે નવેમ્બરમાં ફરી જી -20 નું વર્ચુઅલ સત્ર યોજાશે કારણ કે નવેમ્બર માસ સુધી ભારત પાસે જી -20 ની અધ્યક્ષતા છે.
સમાપન સમારોહમાં મોદીએ વિશ્વશાંતીનો સંદેશ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે હવે અમારી જવાબદારી છે કે જે સૂચનો થયા છે તેની દિશામાં પ્રગતિ થાય. હવે પછી બ્રાઝિલમાં આવતા વર્ષે જી -20 શિખર યોજાશે.
સમાપન બાદ વિશ્વ નેતાઓ પોતાના વતન તરફ રવાના થયા હતા. અમેરિકી પ્રમુખ બાઈડન સવારે જ વિયેતનામ જવા રવાના થઈ ગયા હતા. આમ ભારતનો વાત વિશ્વમાં રહી ગયો છે અને ભારતના વિચારો તેમજ વાતોને જી -20 ના નેતાઓએ સ્વીકાર્યા હતા.