યુપીના ગાઝિયાબાદમાં ધોળા દિવસે વકીલની હત્યા
ઉત્તર પ્રદેશમાં ગૂનડાગીરી વકરી છે અને ધોળે દિવસે ગોળીબાર થાય છે. ગાઝિયાબાદમાં સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના તહેસીલ પરિસરમાં આજે એક વકીલની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી . મૃતક વકીલની ઓળખ મોનુ ચૌધરી તરીકે થઈ છે. મોનુ ચૌધરી તહસીલ બાર એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.
ઘટના સમયે વકીલના ચેમ્બરમાં ચાર લોકો હાજર હતા અને મોનુ ચૌધરી લંચ કરી રહ્યા હતા. આ દરમિયાન બે લોકો ચેમ્બરમાં ઘૂસ્યા અને મોનુને ગોળી મારી દીધી. ત્યારબાદ બદમાશો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા . વકીલની હત્યા કયા કારણોસર થઈ તે અંગે હજુ સુધી ખુલાસો નથી થયો.
સૂચના મળતા જ પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા . પોલીસ તહેસીલની આસપાસ લાગેલા CCTVની તપાસ કરી રહી છે અને આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે.