કેજરીવાલે પાક. ના મંત્રીને કેવી રીતે ઝાટક્યા ?
- પાકની ચુંટણીમાં દખલગીરી: નફરત હારશે તેવી પોસ્ટ પાક. ના મંત્રીએ મૂકતાં કેજરીવાલે ઝાટકી નાખ્યા
- ફવાદ ચૌધરીએ કેજરીવાલના ફોટો સાથે પોસ્ટ મૂકી સહાનુભૂતિ દર્શાવી; કેજરીવાલે કહ્યું તમારા દેશની હાલત ખરાબ, તેને સંભાળો
દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે ત્યારે શનિવારે મતદાનના દિવસે પાકિસ્તાને તેમાં દખલગીરી કરવાની હરકત કરી હતી. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ અરવિંદ કેજરીવાલના ફોટો સાથે સારું લગાડવા એક પોસ્ટ મૂકી હતી પણ કેજરીવાલે વળતો મેસેજ કરીને તેની બોલતી બંધ કરી દીધી હતી.
કેજરીવાલે પરિવાર સાથે મતદાન કરીને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ અને તસવીર મૂકી હતી તેના વિષે પાકના મંત્રીએ કેજરીવાલનો ફોટો લગાવીને એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે શાંતિ અને સદભાવ નફરતને હરાવી દેશે .
આ પોસ્ટ પર તરત જ કેજરીવાલે જોરદાર વળતો જવાબ આપીને પોસ્ટ લખી હતી કે તમારા દેશની હાલત એટલે કે પાકની હાલત બહુ ખરાબ છે તમે તમારું સંભાળી, અમારી ચિંતા નહીં કરો. કેજરીવાલે અરીસો દેખાડીને લખ્યું હતું કે ચૌધરી, હું અને મારા દેશના લોકો સમસ્યાઓને સંભાળવા માટે પૂરી રીતે સક્ષમ છીએ, તમારા ટ્વીટની જરૂર નથી, તમે તમારા દેશને સંભાળો.
આમ પાકિસ્તાનના મંત્રીને દેશની ચુંટણીમાં દખલગીરી કરવાની હરકત ભારે પડી ગઈ હતી અને કેજરીવાલે એમને ઝાટકી નાખ્યા હતા.