જમ્મુ-કાશ્મીર : સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 1 આતંકી ઠાર તો એક જવાન શહીદ, 4 ઘાયલ
જમમુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વધુ એક ઘટના બની છે.કુપવાડા જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ નજીક એક આર્મી પોસ્ટ ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે એક મેજર સહિત ચાર જવાનો ઘાયલ થયા હતા.સેનાએ કરેલા વળતા ગોળીબારમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર થયો હતો.
આર્મીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર મક્કહાલ સેકટર માં કામકરી ફોરવર્ડ પોસ્ટ ઉપર હુમલો થયો હતો.તેમાં ઘાયલ થયેલા પાંચ જવાનોને હોસ્પિટલોમાં આવ્યા હતા જ્યાં ગંભીર ઈજાઓને કારણે એક જવાને દમ તોડી નાખ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ની સંડોવણી હોવાની આશંકા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2021માં યુદ્ધ વિરામ સમજૂતી થઈ તે પહેલાં થયેલા અનેક હુમલાઓમાં પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ નો હાથ હતો. પાકિસ્તાનની આ ટુકડીમાં પાકિસ્તાનના એસએસજી કમાન્ડો અને સૈનિકોનો સમાવેશ હોવાનું માનવામાં આવે છે.સેનાએ કરેલી સતાવાર ઘોષણા માં માર્યા ગયેલા આતંકવાદીને પાકિસ્તાની નાગરિક ગણાવવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ હજુ શુક્રવારે જ કારગિલ વિજય દિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં આતંકવાદીઓને પૂરી તાકાતથી કચડી નાખવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરી પાકિસ્તાનને ચેતવણી આપી હતી.અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં આતંકવાદી હમલાની 10 ઘટના બની છે જેમાં 14 જવાન શહીદ થયા છે.સુરક્ષા દળોએ કરેલી કાર્યવાહીમાં 12 આતંકવાદી નો પણ ખાતમો બોલી ગયો છે.છેલ્લા કેટલાક સમય દરમિયાન વધેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ અગાઉ ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.શુક્રવારે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કુપવાડા જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલની મુલાકાત લીધી હતી.એ પહેલા 14 મી જુલાઇએ એ જ વિસ્તારમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી ત્રણ આતંકવાદીઓને પતાવી દીધા હતા