જગન્નાથપૂરીમાં દુર્ઘટના : રથયાત્રામાં બલભદ્રજીની મૂર્તિ સેવકો પર પડતા 8થી વધુ ઈજાગ્રસ્ત
ઓડીશાના પૂરીમાં એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભગવાન જગન્નાથ રથયાત્રામાં બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી. મૂર્તિને રથમાંથી નીચે ઉતારતી વખતે સેવકો ઢાળ પરથી લપસી ગયા હતા. આ દુર્ઘટનામાં 8થી વધુ લોકો ઘાયલ થયા હતા
વાસ્તવમાં 8મી જુલાઈએ રથયાત્રાના આયોજન બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરની અંદર લઈ જતા હતા.બલભદ્ર જીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી. જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૂર્તિને કોઈ નુકસાન થતું નથી. આ ઘટનાના કારણે ભગવાના જગન્નાથના ભક્તો, ઓડિશાના લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. આટલા વર્ષોમાં આવી ઘટના ક્યારેય બની નથી. આ કાર્યક્રમમાં નાની-મોટી બેદરકારી કારણે આ ઘટના બની હોવાની વાત કહેવામાં આવી રહી છે. જો કે, સંપૂર્ણ તપાસ બાદ તમામ હકીકત સામે આવશે.
Odisha: Idol of Lord Balabhadra Falls on Servitors of Puri Jagannath Temple During Rath Yatra 'Pahandi' Ritual in Puri, Nine Injured#RathaJatra2024 #Puri pic.twitter.com/IDWHI9J436
— Indrajit Pati (@pati_indrajit) July 9, 2024
2 સેવાકર્મીઓને સારવાર બાદ રજા આપવામાં આવી
ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે દોરડા જેવી સામગ્રીમાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને બાદમાં રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી પ્રવતિ પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું.
રથ ખેંચતી વખતે એકનું મોત થયું હતું
7 જુલાઈના રોજ પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સિવાય 130થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ હતા.
ગયા વર્ષે 20 જૂને પુરીમાં ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે લગભગ 14 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ભીડમાં ચાલતી વખતે એક મહિલા શ્રદ્ધાળુ પડી ગઈ, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ.
15મી જુલાઈના રોજ ભગવાન શ્રીમંદિર પરત ફરશે
દુર્ઘટના પછી તરત જ, ભાઈ-બહેન ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની પૂજા ફરી શરૂ થઈ અને તમામ મૂર્તિઓને ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી, જે તેમનું જન્મસ્થળ માનવામાં આવે છે. ભગવાન અહીં 15મી જુલાઈ સુધી રોકાશે. તે જ દિવસે બહુડા જાત્રા અથવા પરત તહેવાર હશે. ત્રણેય મૂર્તિઓ એક જ દિવસે મંદિરમાં પરત ફરશે.
સુરક્ષા માટે તૈનાત હતા 180 પ્લાટૂન
રથયાત્રામાં 180 પ્લાટૂન (એક પ્લાટૂનમાં 30 જવાન હોય છે) સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. યાત્રાધામના અન્ય મહત્વના સ્થળોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.