સર્વપક્ષીય બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું, શું આ હિંસા પાછળ કોઈ વિદેશી ષડયંત્ર ? એસ જયશંકરે જવાબ આપ્યો
- બાંગ્લાદેશના ભારતીયોને લઈને સરકાર એલર્ટ ; વિદેશ મંત્રી
- સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠકમાં રાહુલે પૂછ્યું, પાકનો હાથ ? ; જયશંકરે કહ્યું પાક. ના એક જનરલે હંગામાને ટેકો આપ્યો, શેખ હસીના હાલમાં ભારતમાં જ છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
બાંગ્લાદેશના વડા પ્રધાનપદેથી શેખ હસીનાના પદ છોડ્યા પછી, ત્યાંની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સરકાર દ્વારા મંગળવારે સંસદ ભવનમાં બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીએ એક પ્રશ્ન પૂછીને બધાને ચોંકાવી દીધા હતા. તમામ પક્ષોના નેતાઓને આ બેઠક વિશે માહિતી આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે કેન્દ્ર સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. ભારતીયોની સુરક્ષાને લઈને વાત થઈ છે.
વિદેશમંત્રીએ કહ્યું કે અત્યારે ત્યાંની સ્થિતિ અસ્થિર છે. જેમ જેમ બાંગ્લાદેશમાં વધુ ઘટનાઓ બનશે, સરકાર તેમના વિશે માહિતી આપશે. આ અંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું આ ઘટનામાં કોઈ બહારની શક્તિ સામેલ છે? આના પર જયશંકરે કહ્યું કે બહારી દળોની સંડોવણી વિશે વાત કરવી બહુ ઉતાવળ છે. અત્યારે ત્યાં ભારતીયો માટે સ્થિતિ ચિંતાજનક નથી. વિદેશમંત્રીએ કહ્યું હતું કે સંકટ સમયમાં સરકારને સાથ આપવાની બધા પક્ષોની નીતિ સરાહનીય છે.
જયશંકરે કહ્યું કે એક પાકિસ્તાની જનરલે તેની ડીપી પ્રોફાઇલ બદલીને હંગામાનું સમર્થન કર્યું હતું. બાંગ્લાદેશમાં 20,000 ભારતીયો હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. તેમાંથી 8000 વિદ્યાર્થીઓ એડવાઈઝરી બાદ પરત ફર્યા છે. એમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર શેખ હસીનાને થોડો સમય જગ્યા આપવા માંગે છે તે જાણવા માટે કે તે શું ઈચ્છે છે?
જયશંકરે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અંગે પાર્ટીના તમામ નેતાઓને જાણકારી આપી છે. સંસદ ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો હતો. આ બેઠક બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમની બહેન દિલ્હી પહોંચ્યાના એક દિવસ બાદ થઈ હતી.