ધિરેન્દ્ર શાસ્ત્રીએ 15 ઓગસ્ટને બતાવ્યો ગણતંત્ર દિવસ, અજીત અંજુમે કરી ટીકા
જાણીતા પત્રકાર અજીત અંજુમે ટ્વીટ કરીને લખ્યું છે કે ધિરેન્દ્ર શાસ્ત્રીના હિસાબથી 15 મી ઓગસ્ટ ગણતંત્ર દિવસ છે.. જરા વિચારો , સ્કૂલનું બાળક પણ જાણે છે કે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસમાં શું ફેર છે,પરંતુ આ પંડિત તો અલગ જ લેવલના છે.
કોમેન્ટ્સ..
આશિષ મોહન ગુપ્તાએ તેના પર કોમેન્ટ કરીને લખ્યું છે કે, પંડીતને કદાચ હનુમાનજીએ બતાવ્યું હશે કે 15 મી ઓગસ્ટ ગણતંત્ર દિવસ છે. જો કે આમ તો એમને ખાલી પ્લોટ વિષે બધી ખબર હોય છે.
જે. પી. ગૌતમે લખ્યું છે કે ભાજપવાળા એમની પાસેથી જ જ્ઞાન મેળવે છે અને એમને 15 મી ઓગસ્ટની ખબર નથી !
મિસ્ટર સિંઘે લખ્યું છે કે .. આવા લોકોએ જ હિન્દુ ધર્મને મજાક બનાવી દીધો છે, બધા જ હિન્દુઓએ એમની સામે કાર્યવાહી કરવી જોઈએ.