ભક્તો અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ સુધી જઈ નહીં શકે
35 ફૂટ દૂરથી જ દર્શન કરવાનો લાભ મળશે, કમિટીએ નવા નિયમો જાહેર કર્યા
અયોધ્યામાં રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શક્શે. રામ મંદિર ટ્રસ્ટની કમિટી દ્વારા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા
અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે. આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આ સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂરથી જ દેવી-દેવતાઓની પૂજા તેમજ દર્શન કરવામાં આવે છે. ભક્તો અયોધ્યામાં
રામ ભક્તો ઉદ્ઘાટન બાદ પણ લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી મંદિરની પવિત્રતા જાળવવામાં તેમજ ભીડને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. મૂર્તિને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવશે જેથી કરીને લોકો દૂરથી પણ ભગવાન રામના દર્શન કરી શકશે.