દિલ્હી દારૂનીતિકાંડ : આપ નેતા સિસોદિયાનો જેલવાસ 7 મે સુધી લંબાયો
દિલ્હી લિકર પોલિસી કેસમાં આરોપો ઘડવા માટે હાલ સુનાવણી શરૂ ન કરવાની માંગ કરતી અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે સીબીઆઇ પાસે જવાબ માંગ્યો હતો. તો બીજીતરફ કોર્ટે સીબીઆઈ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયીક કસ્ટડી સાતમી મે સુધી લંબાવી દીધી હતી. . હવે આ કેસની સુનાવણી સાતમી મેએ હાથ ધરાશે.
સુનાવણી દરમિયાન દલીલ પુરી થતાં જ આરોપીના વકીલ કોર્ટમાંથી બહાર જતા રહ્યા હતા. ત્યારબાદ આ મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરતા વકીલે ન્યાયાધીશને કહ્યું કે, ‘અમને કોર્ટ રૂમમાંથી વૉકઆઉટ કરાયા ન હતા. આ મામલે અમે માફી માંગીએ છીએ.’ ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અમે પહેલીવાર આવું વર્તન જોયું છે. તમારી દલીલ પુરી થતાં જ તમે બધા કોર્ટની બહાર જતા રહ્યા. તમારું આ કેવું વર્તન છે કે તમે બધા કોર્ટની મંજૂરી લીધા વગર કોર્ટમાંથી બહાર જતા રહ્યા અને કોર્ટને કહ્યા વગર જતા રહ્યા.’