છત્તીસગઢ : ગનપાઉડરની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 લોકોના મોતથી હડકંપ
ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. હજુ 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રની ડોમ્બિવલીની ફેક્ટરીમાં બોઈલર ફાટતા આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે છત્તીસગઢની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ૧૦ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જયારે અનેક લોકો ઘાયલ છે પણ છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકત્ર થઈ ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના છત્તીસગઢના બેમેતરા જિલ્લાના બેરલા પીરદામાં ગનપાઉડરની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મીડિયા રીપોર્ટ વિસ્ફોટમાં લગભગ ૧૦ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે તો સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના આજે સવારે બની હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટનો અવાજ કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. જેના કારણે આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.
અકસ્માત સમયે કારખાનામાં 100 થી વધુ કામદારો હતા

કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ગનપાઉડર ફેક્ટરીમાં લગભગ 100 કર્મચારીઓ હાજર હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉછળતા જોવા મળ્યા હતા.

બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. બીજી તરફ ઘટનાના ત્રણ કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી નથી. ઘાયલોમાંથી સાતને રાયપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં દરરોજ બ્લાસ્ટ થાય છે, જેના કારણે ગ્રામીણો ભયમાં જીવે છે. અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટ થતા ૧૦ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે