સનાતનના સન્માનમાં ભાજપ આવશે મેદાનમાં, મોદીએ મંત્રીઓને કહ્યું જવાબ આપો
કેબિનેટની મળેલી બેઠકમાં વડાપ્રધાને આપી સૂચના, આ મુદ્દા પર જ વધુ બોલો
વડાપ્રધાને આજે કેબિનેટની બેઠક દરમિયાન મંત્રીઓને સંદેશ સાથે સૂચના આપી હતી કે સનાતન ધર્મ અંગે થયેલા વિવાદમાં મંત્રીઓએ તર્ક સાથે જવાબ આપવો જોઈએ. હવે મેદાનમાં ભાજપ આવશે અને જવાબ આપશે.
એમણે કહ્યું કે ઈન્ડિયા અને ભારતને લઈને થઈ રહેલી દલીલો કરતાં સનાતન ધર્મ વિષે વિપક્ષને સજ્જડ જવાબ આપવાની જરૂર છે. આ મુદ્દા પર જ વધુ વાત કરો તેવી સૂચના એમણે આપી હતી.
મોદીએ મંત્રીઓને શિખામણ આપતાં કહ્યું હતું કે આ મુદ્દા પર અભ્યાસ કરો અને સાચા તર્ક સાથે જવાબ આપો. બરાબર તથ્ય સાથે બોલો. ભાજપ અનેક વિપક્ષી નેતાઓના નિવેદન બારામાં મેદાનમાં આવશે અને આ બાબત આગામી દિવસોમાં વધુ ઊગ્ર બનશે તેવું લાગે છે.