વારાણસી વેરાવળ વચ્ચે સીધી ટ્રેન શરૂ થશે
24 કોચની સુપરફાસ્ટ ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર.
બાબા વિશ્વનાથ ની પવિત્ર નગરી વારાણસી અનેબ સોમનાથને જોડતી સીધી સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ રહી છે. આ ટ્રેન શરૂ થવાને કારણે સૌરાષ્ટ્રમાંથી વારાણસી જવા માગતા તેમજ ઉત્તર પ્રદેશમાંથી સોમનાથની યાત્રાએ આવવા માંગતા ભાવિકોને ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. આ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો એક, સેકન્ડ એસીના બે થર્ડ એસીના છ ઉપરાંત આઠ સ્લીપર કોચ અને ચાર જનરલ કોચ સહિત કુલ 24 કોચ લાગશે. આ ટ્રેન શરૂ કરવાની રેલ્વે સત્તાવાળાઓએ 29 ઓગસ્ટે મંજૂરી આપી દીધી હતી અને હવે તે શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ટ્રેન શરૂ થવાની તારીખ હવે પછી જાહેર કરાશે પણ એ પહેલાં રેલવે દ્વારા ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે તે મુજબ અઠવાડિયે એક વખત દર સોમવારે વેરાવળ થી અને દર બુધવારે વારાણસી થી આ ટ્રેન પ્રસ્થાન કરશે.
સમય પત્રક
સોમવારે સવારે 04:15 વાગે વેરાવળ થી અમદાવાદ કોટા અને પ્રયાગરાજ થઈ ને આ ટ્રેન બીજા દિવસે બપોરે બે 35 વાગે વારાણસી પહોંચશે.
એ જ રીતે દર બુધવારે સવારે 07:30 વાગ્યે વારાણસી થી આ ટ્રેન ઉપડશે અને બીજા દિવસે સવારે 6:45 વાગ્યે વારાણસી પહોંચશે.