90 વર્ષના બીમાર મનમોહનસિંહને ધરાર ગૃહમાં લાવવામાં આવતા ભાજપે કોંગીનો ઊધડો લીધો
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગઈકાલે કોંગ્રેસે ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા. દરમિયાન આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે ઉપરાંત મનમોહન સિંહની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં તેને ગૃહ બોલાવવા અમાનવીય ગણાવ્યા હતા.
ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, દેશ કોંગ્રેસના આ પાગલપણાને યાદ રાખશે! કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાનને મોડી રાત્રે ગૃહમાં વ્હીલચેર પર બેસાડીને આવી તબિયતમાં પણ રાખ્યા, તે પણ માત્ર તેમના બેઈમાન ગઠબંધનને જીવંત રાખવા માટે! બહુ શરમજનક વાત કહેવાય. આની સામે જવાબ આપતાં કોંગ્રેસે મનમોહન સિંહના આગમનને બંધારણના સન્માન સાથે જોડ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “લોકશાહી માટે ડૉ. સાહેબનું આ સમર્પણ દર્શાવે છે કે તેમને દેશના બંધારણમાં કેટલી શ્રદ્ધા છે.”