Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરનાર પંડિતોના વારસદારો જ કરશે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Fri, December 8 2023

છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક બનારસના ગાગા પંડિતે કર્યો હતો તેમના વારસદાર પંડિત લક્ષ્મીકાંત મથુરનાથ દિક્ષિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

અયોધ્યા

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે. આગામી મહિને રામ મંદિર તૈયાર થઈ જવાનું છે અને શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા પણ જઈ શકશે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક બનારસના જે પંડિતે કર્યો હતો તેના વારસદારો જ અયોધ્યાના રામ મંદિરમાં પણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ કામ વારાણસી (બનારસ)ના વેદિક કર્મકાંડના વિદ્વાન પંડિત લક્ષ્મીકાંત મથુરનાથ દિક્ષિતને સોંપવામાં આવ્યું છે. તેમના પૂર્વજ ગાગા ભટ્ટે જ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક પણ કર્યો હતો.

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તે સમયે પંડિત લક્ષ્મીકાંત મથુરદાસ દિક્ષિત કર્મકાંડના જાણકાર 121 પંડિતોની સાથે ટીમ સાથે ઉપસ્થિત રહેશે અને મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ વિદ્વાનો વેદની તમામ શાખાઓના અભ્યાસુઓ હશે અને સમગ્ર દેશમાંથી તેમને લાવવામાં આવશે.

પંડિત લક્ષ્મીકાંત દિક્ષિતની ઉંમર અત્યારે 87 વર્ષ છે. 17મી સદીમાં તેમના પૂર્વજ ગાગા ભટ્ટે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કર્યો હતો. તેથી તેમના પરિવાર માટે આ એક ઐતિહાસિક અવસર છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કાશીના 40 પંડિતો પણ જોડાશે.

વયોવૃદ્ધ પંડિત લક્ષ્મીકાંતે જણાવ્યું કે મહાન સાધુ સંતોના આશીર્વાદના કારણે મને રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું કામ સોંપવામાં આવ્યું છે. ભગવાન રામની ઈચ્છાથી હું મારું કર્તવ્ય બજાવીશ.

સપ્ટેમ્બર મહિનામાં પંડિત લક્ષ્મીકાંત દિક્ષિત અને આચાર્ય ગણેશ શાસ્ત્રી દ્રવિડ સહિતના વિદ્વાનોને કાશી કામાકોટીની શંકરાચાર્યએ અયોધ્યા મોકલ્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી કરવા માટે જણાવ્યું હતું.

22 જાન્યુઆરીએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંખ્યાબંધ સેલિબ્રિટિ ઉપસ્થિત રહેશે. પરંતુ આ માટે મહાપૂજા 16 જાન્યુઆરીથી જ શરૂ થઈ જશે. સૌથી પહેલા આચાર્ય લક્ષ્મીકાંત મથુરાનાથ અને તેમની સાથેના પંડિતો દ્વારા પ્રાથમિક વિધિ કરવામાં આવશે. તેમાં જળયાત્રા, તીર્થ, કળશ પૂજન અને કળશયાત્રા પણ સામેલ હશે.

ભગવાન રામની મૂર્તિમાં તેમના બાળપણનું રૂપ જોવા મળશે. આ મૂર્તિ 90 ટકા તૈયાર થઈ ગઈ છે. અયોધ્યામાં ત્રણ જગ્યાએથી શ્રેષ્ઠ મૂર્તિ પસંદ કરવામાં આવશે અને મંદિરના ટ્રસ્ટની ધાર્મિક સમિતિ આ પસંદગીનું કામ કરશે. કર્ણાટક અને રાજસ્થાનના પથ્થરોમાંથી બનેલી મૂર્તિને અંતિમ ઓપ આપવામાં એક અઠવાડિયું લાગી શકે છે.

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશ-વિદેશની જાણીતી હસ્તિઓ હાજર રહેશે. તેમાં ફિલ્મ કલાકારોથી માંડીને ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને સાહિત્યકારોને પણ આમંત્રણ અપાયું છે. ક્રિકેટરોમાંથી સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, રામાયણમાં રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલ અને સીતાની ભૂમિકા ભજવનારા દીપિકા ચીખલિયાને પણ પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે RSSના સરસંઘચાલક મોહન ભાગવત, પતંજલિના સ્થાપક બાબા રામદેવને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

છેલ્લા પાંચ વર્ષમાં વિદેશોમાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓના થયા મોત….? જાણો…

Next

બેંક કર્મચારીઓને બખ્ખા : જાણો કેટલા ટકાનો થયો પગારમાં વધારો…?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
9 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
9 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
10 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

હાથરસ દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી : FIRમાં ભોલે બાબાનું નામ પણ નથી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુવકે પોલીસને ફોન કર્યો, મેં છરીના ઘા મારી દીધાં છે, જલ્દી આવો !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
હવે સમુદ્રમાં પણ ભારત લીડર બનશે : લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બીલ પાસ,જાણો શું થશે બદલાવ, કોને થશે ફાયદો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટ : ત્રણ યુવતિ અને એક યુવક સાથે ચાલકે પોતે પણ થારમા કર્યાં સ્ટંટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર