રેલવેમાં હવે RPFના જવાનોને AK-47 કે ઓટોમેટીક શસ્ત્રો નહી અપાય
જયપુર-મુંબઈ ટ્રેન શુટઆઉટ બાદ નિર્ણય
નવી દિલ્હી: જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એકસપ્રેસમાં રેલવે પ્રોટેકશન ફોર્સના જવાન દ્વારા તેની ઓટોમેટીક રાઈફલથી અંધાધુંધ ગોળીબાર કરી આરપીએફના સબ ઈન્સ્પેકટર સહિત ચારની હત્યાની ઘટના બાદ રેલવેએ હવે ટ્રેનમાં સુરક્ષા માટે તૈનાત કરતા આરપીએફના જવાનોને હવે એકે-47 કે તેવી ઓટોમેટીક રાઈફલ સાથે ફરજ પર નહી મુકવાનો નિર્ણય લીધો છે. તેના બદલે હવે તેઓને પિસ્તોલ જેવું હળવું હથિયાર આપવામાં આવશે. રેલવેના બે ઝોનમાં તેનો તાત્કાલીક અમલ કરવા જણાવ્યુ છે. તા.31 જુલાઈની ઘટનાથી રેલવેએ તાકીદની બેઠક યોજી હતી અને તેમાં જે રીતે ઓટોમેટીક રાઈફલ કોન્સ્ટેબલ ચેતનસિંહ સેક્ધડોમાં ચારની હત્યા કરી તે પછી આ નિર્ણય લેવાયો હતો.