ફરી મહારાષ્ટ્રમાં શિવ સેનાના બે જૂથ વચ્ચે ટસલ, શું થયું ? .. વાંચો
કામ અધૂરું હતું છતાં આદિત્ય અન્ય નેતાઓ સાથે બ્રિજ પર પહોંચી ગયા હતા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મની વધી રહી છે અને કૈકને કઈક નવાજૂની થતી રહે છે. હવે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બ્રિજ અધૂરો હતો છતાં આદિત્યએ તેની પરવા કરી નથી તેવો આરોપ મુકાયો છે.
ત્રણેય નેતાઓ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 149, 326 અને 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ દિલાઈ રોડ બ્રિજ લેનના ઉદ્ઘાટનના સંબંધમાં નોંધવામાં આવ્યો છે.
.બીએમસીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના 16 નવેમ્બરે બની હતી જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ બાદં 17 નવેમ્બરે, માહિતી મળ્યા પછી બીએમસીએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીમસીની ફરિયાદ પર એફઆઇઆર નોંધી છે. બીએમસીના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.
