પાકિસ્તાનથી ભારત પાછી આવેલી રાજસ્થાનની અંજુ કેવી મુશ્કેલીમાં મુકાશે ? વાંચો
5 માસ પહેલા થયેલી ફરિયાદ અંગે પોલીસ કાર્યવાહી કરશે, અંજુના પતિ અરવિંદે કેસ દાખલ કર્યો હતો
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
5 માસ પહેલા રાજસ્થાનની પરિણીતા અંજુ પતિ અરવિંદને છોડીને પાકિસ્તાન પોતાનાં પ્રેમી નસરૂલલાહ પાસે જતી રહી હતી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. હવે 5 માસ બાદ તે ભારત પાછી ફરી છે અને ફસાઈ ગઈ છે. કારણ કે પોલીસ તેણી સામે કાર્યવાહી કરી શકે છે.
અંજુ સામે 5 માસ પહેલા કેસ દાખલ થયો હતો જેમાં તેણી સામે અલગ અલગ ફરિયાદો દાખલ કરાઇ હતી અને હવે તેની તપાસ પોલીસ આગળ ચલાવશે . આ બારામાં પોલીસે એવો સંકેત પણ આપ્યો હતો કે અંજુની ધરપકડ પણ થઈ શકે છે. જો તે અલવર જિલ્લાના ભિવાડી ગામે બાળકોને મળવા આવશે તો પોલીસ તેને ઉપાડી જશે. પોતે બાળકોને મળવા ભારત આવી હોવાનું રટણ અંજુએ કર્યું હતું પણ પોલીસ આ વાત માનશે કે કેમ તે એક સવાલ છે.
તેના પતિ અરવિંદે પણ કહી દીધું છે કે બાળકોને મળવાની મંજૂરી તેને અપાશે નહીં. અરવિંદ તરત જ પોલીસને જાણ કરી દેશે અને ગામમાં આવીને પોલીસ તેને ઉપાડી પૂછપરછ કરશે અને ફરિયાદ દાખલ થઈ હતી તે બારામાં કાર્યવાહી કરશે. અંજુએ અરવિંદ પાસેથી છૂટાછેડા લીધા વિના પાકિસ્તાન જઈને લગ્ન કર્યાની ફરિયાદ દાખલ થયેલી છે.