તેલંગણામાં મુખ્યમંત્રી પદ માટે ધમાસાણ: બળવા જેવી સ્થિતિ
રેવનાથ રેડ્ડીની પસંદગી સામે વિરોધનો સુર
તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં જે એકમાત્ર રાજ્યમાં કોંગ્રેસને બહુમતી મળી છે તે તેલંગણામાં પણ પક્ષ તેની લાક્ષણિક પરંપરા અનુસાર જૂથબંધીમાં ઘેરાયો છે. મુખ્યમંત્રી પદ માટે ની સંભવિત પસંદગી સામે કેટલાક ચૂંટાયેલા ધારાસભ્યો અને સિનિયર નેતાઓએ વિરોધ વ્યક્ત કરતા કોકડું ગૂંચવાયું છે. અગાઉ સોમવારે શપથવિધિ સમારોહ યોજવાની સંભાવના હતી પણ હવે તે કાર્યક્રમ વિલંબમાં મુકાયો છે. મામલો ગંભીર બનતા કોંગ્રેસ નિરીક્ષક,કર્ણાટકના ઉપમુખ્યમંત્રી શિવકુમાર તેમજ તેલંગાણાના ઇન્ચાર્જ માણેક રાવ ઠાકરે દિલ્હી પહોંચ્યા હતા.
તેલંગાણામાં કોંગ્રેસના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર પક્ષ પ્રમુખ રેવનનાથ રેડિની પસંદગી સામે માલુ ભટ્ટી, વિક્રમરકા, ઉત્તમ કુમાર, શ્રીધર બાબુ અને કોમાતીરેડી જેવા ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસમાં બળવા જેવી સ્થિતિ નિર્માણ પામી હતી.
એ અગાઉ હૈદરાબાદની હોટલમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યની બેઠકમાં મુખ્યમંત્રી પદનું નામ નક્કી કરવાની સત્તા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખટકેને શોપ તો ઠરાવ પસાર કરાયો હતો પરંતુ તેની થોડી કલાકો પછી જ આંતરિક અસંતોષ અને ફાટફૂટ સપાટી પર દેખાવા લાગ્યા હતા. નોંધનીય છે કે રેવનાથ રેડીએ તેલંગણામાં કોંગ્રેસના વિજયમાં શિવ ભૂમિકા ભજવી હતી પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિ સામે પહેલેથી કેટલાક કોન્ગી નેતાઓ ફરિયાદ કરતા રહ્યા હતા.
એક પણ મુદ્દે સહમતી નથી
કોંગ્રેસનો દલિત ચેહરો ગણાતા માલુ ભટ્ટીએ એક કરતાં વધારે ઉપમુખ્યમંત્રીઓની નિમણૂક કરવા સામે વિરોધ નોંધાયો હતો. તેમણે એક પદ માટે એક જ વ્યક્તિની નિમણૂક કરી અને તેને મહત્વનું ખાતું સોંપવાની માગણી કરી છે. એ જ રીતે વિધાનસભાના સ્પીકર તેમજ ડેપ્યુટી સ્પીકર ના નામ અંગે પણ સંમતિ ન સાધી શકાય હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. રેવનાથ રેડી મુખ્યમંત્રી બને અને પક્ષના પ્રમુખ પદેથી રાજીનામું આપે તો નવા પક્ષ પ્રમુખની નામ માટે પણ જબરી ખેંચતાણ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.
પાતળી થાય સરકાર માટે જોખમી
તેલંગાણામાં કોંગ્રેસને માત્ર ચાર બેઠકની પાતળી બહુમતી મળી છે.આ સંજોગોમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ સરકાર માટે જોખમી સાબિત થઈ શકે છે. અત્યારથી જ પદવાંચ્છુ નેતાઓએ મોવડી મંડળનું નાક દબાવવાનું અને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હોય તેવા નિર્દેશ તો શરૂ થઈ જ ગયા છે. આ સંજોગોમાં ભાવિ મુખ્યમંત્રી માટે બધાને સાથે રાખીને ચાલવાનું કપડું બની રહેશે તેએમ માનવામાં આવે છે