હિમાચલમા તબાહીથી મૃત્યુઆંક 60 થી વધુ
ભાખડા બાંધના દરવાજા 8 ફૂટ ખોલાયા,સિમલમાં 3 દીમાં 19 મોત ,અનેક ઇમારતો ધ્વસ્ત, 800 લોકોનું રેસ્ક્યૂ
હિમાચલમા કુદરતનો કહર યથાવત રહ્યો છે અને અત્યાર સુધી 60 થી વધુ લોકોના મોત થયા છે. આજે ભાખડા બાંધના દરવાજા 8 ફૂટ સુધી ખોલી દેવાયા હતા. ભારે વરસાદ હજુ પણ ચાલુ જ રહશે તેવી આગાહી થઈ છે.
સિમલામા 3 દિવસમાં 19 લોકોના નોટ થયા છે. નદી નાળા હજુ પણ બે કાંઠે છે. અનેક ઇમારતો ધ્વસ્ત થઈ છે. કુલ્લૂ મણાલીમાં હાહાકાર મચી ગયો છે, અનેક ઇમારતો પડી જતાં કેટલાકના મોત બાદ પૂરના પાણીને લીધે 600 થી વધુ માર્ગો બંધ છે. ગઇકાલે સેના અને એરફોર્સે મોરચો સંભાળી લીધો હતો. 800 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કુલ્લૂ મણાલીમાં પેટ્રોલ અને ડિઝાલની તંગી થઈ ગઈ છે કારણ કે હાઇ વે બંધ હોવાથી આવાગમન બંધ છે અને બચાવ રાહત કામગીરી ચાલી રહી છે. દરમિયાનમાં પહાડી રાજ્યોમાં વર્ષાનો કહર ચાલુ જ રહશે તેવી આગાહી થઈ છે. હિમાચલમા 4 દિવસ માટે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
ચંડીગઢ મનાલી નેશનલ હાઇવે બંધ કરાયો છે. 3 હાઇવે સહિત 680 થી વધુ માર્ગો બંધ પડી ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ આગામી 4 દિવસ ચિંતાના છે અને સેના તેમજ એરફોર્સે ત્યાં જ રોકાઈને લોકોને બચાવવા માટે મેહનત ચાલુ રાખી છે. હજુ પણ અનેક લોકો લાપતા છે.