મણીપુર મુદ્દે અમેરિકી ગાયીકા મેરી મિલ્બેનનું વડાપ્રધાન મોદીને સમર્થન
મણીપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરિયાપારથી સમર્થન પ્રાપ્ત થયું છે. જૂન મહિનામાં વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત સમયે ભારતનું રાષ્ટ્રગીત ગાનાર અને મોદીના ચરણસ્પર્શ કરનાર આફ્રો અમેરિકન એક્ટ્રેસ અને ગાયિકા મેરી મીલ્બેને ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતના લોકોને મોદીમાં વિશ્વાસ છે અને મણીપુર ને ચોક્કસ ન્યાય મળશે.
સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ સમયે વિપક્ષોએ મણિપુર મામલે વડાપ્રધાન મોદી ઉપર માછલા ધોયા તે પછી મેરી મિલ્બેન વડાપ્રધાનના ઉઘાડા સમર્થનમાં આવી ગયા હતા તેમણે લખ્યું કે મણિપુર ની માતાઓ બહેનો અને પુત્રીઓને ચોક્કસ ન્યાય મળશે જ. મણીપુરની મહિલાઓને સંબોધીને તેમણે લખ્યું છે કે વડાપ્રધાન મોદી તમારી સ્વતંત્રતા માટે હંમેશા લડતા રહેશે.
મોદીની ટીકા કરનાર વિપક્ષોની ઝાટકડી કાઢતા તેમણે કહ્યું કે દેશની સાંસ્કૃતિક વિરાસતને નકારવી, પોતાના દેશનું રાષ્ટ્રગાન ગાવાની બાળકોને મનાઈ ફરમાવનાર પાર્ટી સાથે જોડાવું અને વિદેશની ભૂમિ પર પોતાના જ દેશની ટીકા કરવી એ નેતૃત્વ ન કહેવાય.તેમનો ઇશારો રાહુલ ગાંધી તરફ હોવાનું માનવામાં આવે છે.
સત્યનો રણકાર થવા દયો
મેરી એ મીડિયા ની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે અપ્રામાણિક મીડિયા ખોટું ચિત્ર રજૂ કરશે, વિપક્ષો કોઈ પણ જાતના પુરાવા વગર દેકારો કરશે પણ અંતે તો સત્ય જ લોકોને સાચું સ્વતંત્ર આપશે. તેમણે માર્ટીન લ્યુથર કિંગ જુનિયરની જાણીતી ઉક્તિ ‘ લેટ ફ્રીડમ રીંગ ‘ ટાંકીને લખ્યું કે મારા વ્હાલા ભારત,સત્યનો રણકાર થવા દો.અંતે તેમણે મોદીને સંબોધીને લખ્યું કે મને તમારામાં વિશ્વાસ છે હું તમારા માટે પ્રાર્થના કરું છું