નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય તો ડિમેન્શિયાનો ખતરો
આજકાલ નાની ઉમરે પણ ડાયાબિટીસનો રોગ લાગુ પડી જતો જોવા મળી રહ્યો છે. નાની ઉમરે થતા ડાયાબિટીસની સાથે ચિંતાની વાત એ છે કે જો સમયસર સારવાર ન મળે તો ડિમેન્શિયા લાગુ પડી જાય છે. એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ડાયાબિટીસ એક ગંભીર રોગ છે. તે મગજ સહિત શરીરના વિવિધ ભાગોને અસર કરી શકે છે. તાજેતરના એક અભ્યાસમાં આ વાતની મહદઅંશે પુષ્ટિ થઈ છે. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડાયાબિટીસ ટાઈપ-2 અને અલ્ઝાઈમર રોગ વચ્ચે ઊંડો સંબંધ છે. જો કોઈને નાની ઉંમરે ડાયાબિટીસ હોય તો તમને અલ્ઝાઈમર રોગ થવાની શક્યતા વધી જાય છે.
એક અભ્યાસમાં 81 ટકા અલ્ઝાઈમર દર્દીઓમાં ડાયાબિટીસ ટાઈપ-2ના લક્ષણો જોવા મળ્યા હતા. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસ અને અલ્ઝાઈમર રોગ વચ્ચેની લિંકનું કારણ એક પ્રોટીન છે. જે આંતરડામાં જોવા મળે છે. આ અભ્યાસ અહેવાલ અમેરિકન સોસાયટી ફોર બાયોકેમિસ્ટ્રી એન્ડ મોલેક્યુલર બાયોલોજીમાં પણ રજૂ કરવામાં આવ્યો છે. સંશોધકોએ તેમના પ્રયોગોમાં ઉંદરોનો ઉપયોગ કરીને લિંકની તપાસ કરી. જો કે, તારણો હજુ સુધી પ્રકાશિત થયા નથી, ન તો તેમની સમીક્ષા કરવામાં આવી છે.
ટાઇપ-2 ડાયાબિટીસને કેવી રીતે દૂર કરવુ
દવા અને ઇન્સ્યુલિન થેરાપી લેવી પડશે.
તમારે આહાર અને કસરત પર ધ્યાન આપવું પડશે. હેલ્ધી ફૂડ ખાઓ. નિયમિત કસરત કરો. બ્લડ શુગર લેવલ ચેક કરતા રહો. જીવનશૈલીમાં ફેરફાર કરો. પરિવારનો સહયોગ જરૂરી છે. તમારા ડૉક્ટરની વારંવાર સલાહ લો.
કયો ખોરાક લેવો જોઈએ
સફરજન: સફરજનમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. આ સિવાય વિટામિન્સ પણ વધારે માત્રામાં હોય છે. તેમાં ચરબી હોતી નથી.
બદામ: શરીરને તેના પોતાના ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તેમાં મેગ્નેશિયમ હોય છે.
હળદર: કર્ક્યુમિન ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
અન્ય ઉપયોગી ખોરાક કઠોળ, કેમોલી ચા, ઓટમીલ, બ્લુબેરી, છે.
નાળિયેર તેલ, ઓલિવ તેલ અને સરસવનું તેલ જેવી તંદુરસ્ત ચરબીનો ઉપયોગ કરો.
કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો.