મોડુ જમવાની (કુ) ટેવ બની શકે છે હાર્ટ એટેકનું કારણ
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સમયસર ખાવાની આદતથી હાર્ટ એટેકથી બચી શકાય છે
નિયમિત આહાર શરીરને તંદુરસ્ત રાખે છે એ વાત બધા જાણે છે પરંતુ જો તેમાં અનિયમિતતા દાખવવામાં આવે તો તે જોખમી થઇ શકે છે. એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે જો તમે દિવસનું પહેલું ભોજન, તમારો નાસ્તો અને રાત્રિનું ભોજન મોડી રાત્રે ખાશો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ રહે છે. અભ્યાસમાં, હૃદયરોગના જોખમને ટાળવા માટે, દિવસનું પ્રથમ ભોજન સવારે 8 વાગ્યે અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી મુજબ, હ્રદય સંબંઘી રોગો વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે, જેના કારણે 2019 માં વાર્ષિક 18.6 મિલિયન મૃત્યુ થયા, જેમાંથી લગભગ 7.9 મૃત્યુ આહારને કારણે થયા છે. આનો અર્થ એ છે કે આ રોગોના વિકાસ અને પ્રગતિમાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે.
એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે દિવસનું પહેલું ભોજન મોડા ખાવાથી હૃદય રોગનું જોખમ વધી જાય છે. વિલંબના દરેક કલાકથી જોખમ 6 ટકા વધે છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ તેનું પહેલું ભોજન સવારે 9 વાગ્યે ખાય છે તેને હૃદયરોગ થવાની શક્યતા 6 ટકા વધુ હોય છે જે વ્યક્તિ સવારે 8 વાગ્યે તેનું પહેલું ભોજન ખાય છે.
ભોજન લેવાનો શ્રેષ્ઠ સમય કયો ?
જ્યારે દિવસના છેલ્લા ભોજનની વાત આવે છે, ત્યારે રાત્રે 8 વાગ્યા પહેલા ખાવાની સરખામણીમાં મોડા (રાત્રે 9 વાગ્યા પછી) ખાવાથી સ્ટ્રોક જેવા સેરેબ્રોવેસ્ક્યુલર રોગોનું જોખમ 28 ટકા વધી જાય છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. છેવટે, દિવસના છેલ્લા ભોજન અને બીજા દિવસના પ્રથમ ભોજન વચ્ચે લાંબા સમય સુધી ઉપવાસનો સમયગાળો સેરેબ્રોવેસ્ક્યુલર રોગના ઓછા જોખમ સાથે સંકળાયેલો છે, જે દિવસના પ્રથમ અને છેલ્લા ભોજન બંને ખાવાના વિચારને સમર્થન આપે છે.