બ્લડ પ્રેશર ધ્યાન રાખો તો દવા નહી લેવી પડે અને આડઅસરથી પણ બચી જશો
દવા વેચનારી કંપનીઓએ અડધી દુનિયાને બ્લડ પ્રેશરની દવા ખાતા કરી દીધા છે.
બ્લડ પ્રેશર એટલે શું? હૃદય દ્વારા લોહી પમ્પ કરતાં સમયે રક્ત વાહિનીઓ પર પડતાં પ્રેશરને બ્લડ પ્રેશર કહેવાય છે. તેનું સામાન્ય લેવલ 120/80 છે અર્થાત હાઈ બ્લડ પ્રેશર 120 અને લૉ બ્લડ પ્રેશર 80 હોવું જોઈએ.
જરાક ઊંડા ઉતરીએ તો ધમની માનવ શરીરવિજ્ઞાનનું મહત્વનું અંગ છે ,ઓક્સીજીનેટેડ લોહીનું વહન કરતી નળી છે સાથોસાથ હ્રદયમાંથી શરીરના દરેક કોષો તથા પેશીઓમાં ઓક્સિજન યુક્ત લોહી અને પોષણનું વહન પણ કરે છે.
ફૂફૂસ ધમની અશુદ્ધ લોહી એટલે કે ઓક્સિજનવિહીન લોહીને ફેફસાંમાં લઈ જાય,ત્યાં કાર્બનડાયોક્સાઈડ દૂર કરી ઓક્સિજીનેટેડ રક્ત હ્રદયમાં લઇ જવાય છે આનો અર્થ એવો થાય કે તમારા ફેફસાં જેટલા વધુ સારી રીતે કાર્ય કરે એટલું લોહી વઘુ ને વધુ શુદ્ધ રહે અને પરિણામે હ્રદય અને બાકીના કોષ પેશીઓ પણ મહત્તમ ઓક્સિજન યુક્ત રહે છે.
દરેક સજીવને ઓક્સિજનની જરૂર હોય છે,ઓક્સિજન વિનાનું જીવન શક્ય નથી. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ એમાંથી ઓક્સિજન ફેફસાંમાં જાય છે, જે લાલ રક્તકણો દ્વારા શરીરના કોષ પેશીઓમાં પહોંચે છે.જે શરીરમાં શક્તિનો સંચાર કરે છે અને જીવનને સ્વસ્થ રીતે ટકાવી રાખે છે.
લોહી,કોષ,પેશીઓ અને ધમનીઓના સારા સ્વાસ્થ્ય માટે શ્વાસમા વધુ માં વધુ ઓકસીજન લેવાનું અતિશય જરૂરી છે. લોકો અત્યારે ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરમાં જીવન વિતાવતા થઈ ગયા છે,તેથી શુદ્ધ ઓક્સિજન શ્વાસમાં પૂરતા પ્રમાણમાં નથી મળતો અને હૃદય અને પાચનની તકલીફો વધતી જાય છે. ફેફસાંની ક્ષમતા જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઓછી થતી જાય છે,જે ખરેખર સ્વાસ્થ્યને નુકશાન કરે છે સાથોસાથ લોકો નાની ઉમરે વૃદ્ધ દેખાતા થઈ જાય છે. ફેફસાંની ક્ષમતા વધારવા માટે દરરોજ 10 ફુગ્ગા ફૂલાવવાની આદત બહુ સારી છે.
બ્લડ પ્રેશર, હ્રદયની પમ્પિંગ ક્રિયા વખતે ઉદભવતું દબાણ
આ દબાણથી નળીઓમાં ખેંચાણ અને સંકોચન દ્વારા રક્ત પ્રવાહ જાળવવામાં મહત્વ પૂર્ણ હોય છે. ધમનીઓમાનું લોહીનું દબાણ દરેક વ્યક્તિઓમાં અલગ અલગ હોય છે અને એકજ વ્યક્તિમાં અલગ અલગ સમયે અલગ અલગ હોય છે.ઊંઘ દરમ્યાન લોહીનું દબાણ ઘટે છે,અને કસરત અને ભાવનાત્મક ઉતેજના, માનસિક તણાવ,ચિંતાતુર સ્થિતિના સમયે વધે છે. 1950માં ઉચ્ચ રક્તચાપ 160 અને નિમ્ન રક્તચાપ 100 સામાન્ય ગણાતું હતું.
શરીરની તમામ પ્રક્રિયાઓને પૂરતા પ્રમાણમાં રક્તપ્રવાહની જરૂર હોય છે,પરંતુ તાણ અને અમુક તબીબી પરિસ્થિતિઓ આપણી પેશીઓમાં ઓક્સિજન છોડવાની રક્તની ક્ષમતાને વિક્ષેપિત કરી શકે છે.લોહીમાં ઓકસીજનના પુરવઠા માં ઘટાડો મનુષ્યના મગજ,લિવર અને અન્ય અવયવોના કાર્યને ગંભીર રીતે નુકસાન પહોચાડે છે.શરીરની તમામ પ્રણાલીઓ યોગ્ય રીતે કામ કરે તે માટે આપણાં કોષ પેશીઓમાં પૂરતું ઓક્સિજન પહોંચાડવું અત્યંત જરૂરી હોય છે જે કાર્ય માત્ર લોહી દ્વારા જ શક્ય છે.
1920 માં લોહીનું દબાણ 180/110 સામાન્ય ગણાતું,ધીમે ધીમે દવાઓના વેચાણ વધારવા માટે લોહીના દબાણના આંકડાઓ સાથે ચેડાં કરીને 14 વર્ષ પહેલાં જે 140/100 સામાન્ય હતું તેને આજે દવા વેચનારી કંપનીઓના સંચાલકોએ અડધી દુનિયાને બ્લડ પ્રેશરની દવા ખાતા કરી દીધા છે.
દુનિયાના તમામ મોટા ઉદ્યોગ ગૃહો કરતા નામચીન મોટી ફાર્મા કંપનીઓની નફાકારકતા અનેકગણી વધારે હોય છે,જેનું મુખ્ય કારણ લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરીને લોહી પાતળું કરવા,કોલેસ્ટેરોલ અંકુશ કરવા કે લોહીનું દબાણ અંકુશ કરવા માટેની દવાઓ ડરાવી ધમકાવી ખવડાવવામાં આવે છે એજ છે.
આમ જોતા બ્લડપ્રેશર એ રોગ નથી જ પરંતુ કોઈ ચિકિત્સકને બતાવ્યું હોય અને બ્લડ પ્રેશર વધુ ઓછું જોવા મળ્યું હોય ત્યારે જે ડર અર્ધજાગૃત મનમાં ઠસાઈ જાય છે એ બ્લડપ્રેશરનો કાયમી દર્દી બની રહે છે.
બ્લડ પ્રેશર માપવા માટે શું કરવું
ખુરશી ઉપર વાસો એકદમ સીધો રાખી,બને પગના તળિયા પૂરતા જમીનને ચોંટેલા રહે એવી રીતે બેસીને બ્લડ પ્રેશર માપવું જોઈએ.અને દર એક મિનિટના અંતરે ઓછામાં ઓછું ત્રણ વખત બ્લડપ્રેશર માપવું જોઈએ.
ડર લાગતો હોય અને બ્લડપ્રેશર ઓછું કરવાની ઈચ્છા સતત અર્ધ જાગૃત મનને ખલેલ પહોંચાડે તેવી સ્થિતિ હોય ત્યારે પણ વિષારી દવાઓનો સહારો લેવો જોઈએ નહિ પરંતુ જીવન શૈલી અને સમ્યક ખોરાક લેવાનું ચાલુ કરવું જોઈએ…
પેકિંગમાં મળતા નમકને બદલે દરિયાઈ નમક અથવા સિંધવ વાપરવું જોઈએ અને દાડમનો જ્યૂસ,વિટામિન સી,વધુ રેષા વાળા પદાર્થો, કોળાના બી, બદામ, પાલક,મગફળી ગોળ સાથે, દૂધી અને પેઠાનો જ્યુસ, પપૈયા,ઘઉંનું થુલ્લું, બાજરો, જુવાર, રાગી,રાજમાં, બ્રાઉન ચોખા, વિગેરે…આહાર માં લેવા જોઈએ
બહુ વધુ પ્રમાણમાં આખું માથું દુખે અને સણકા આવે,નાકમાંથી લોહી આવે, છાતીમાં દુઃખાવો થાય, અનિયમિત ધબકારા હોય ત્યારે લોહીનું દબાણ માપવાની જરૂર પડે.બાકી સામાન્ય સંજોગોમાં બ્લડ પ્રેશર માપી ને ખોટા વહેમ ઊભા થવાની શક્યતા વધી જાય અને માનસિક તણાવ વધે છે.
મેગ્નેશિયમની જરૂરિયાત શરીરને હોય છે પરંતુ આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં મેગ્નેશિયમનું સ્થાન નથી એનું કારણ એટલુજ કે જો એના તરફ ધ્યાન આપવામાં આવે તો દર્દીઓની સંખ્યા ઘટતી જાય,જે આજના લૂંટફાટ કરનારા ચિકિત્સકોને પોષાય એવું નથી.
મેગ્નેશિયમની ઉણપથી શારીરિક અને માનસિક થકાન, નબળાઈ અને માથાનો દુઃખાવો, ભૂખ ઓછી લાગવી, ઊલ્ટી ઉબકા થાય જીવ મુંજાય અને સ્નાયુઓમાં ખેંચાણ વિગેરે લક્ષણો જોવામાં આવે છે જેને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં જુદી રીતે જોવાય છે.
મેગ્નેશિયમ એક જરૂરી ખનીજ છે જે આહારમાંથી મળી રહે છે.જ્યારે ઉપરોક્ત લક્ષણો જોવા મળે ત્યારે મેગ્નેશિયમ કલોરાઇડના પાણીમાં પગ બોળી રાખવાથી મેગ્નેશિયમ ત્વચા મારફતે સીધું લોહીમાં મળે છે.મેગ્નેશિયમ શરીરમાં ઉર્જા જગાવે, dna અને rnaના સન્લેશેષણ, બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.
વધુ મેગ્નેશિયમ ધરાવતા ખાદ્ય પદાર્થો
રાજગરો,રાંધેલી પાલક,કોળાના બી, ઓટ્સ,બ્રાઝિલ નટ (જંગલી બદામ) સફેદ તલ, અળસી,ઘઉંનું થૂલું,શ્રી ધાન્ય કુટુ,કાજુ,બદામ,બ્રાઉન ચોખા, આંબલી,ડાર્ક ચોકલેટ જેમાં ૮૦% કોકા હોય, કેળા,
ઉપરોક્ત બાબતનું ધ્યાન રાખવામાં આવેતો બ્લડ પ્રેશરની દવાઓની જરૂર ન પડે અને તેની આડઅસરથી પણ બચી શકાય.