Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ડેન્ગ્યુ તાવે ઉપાડો લીધો છે પણ ડરવાની જરૂર નથી, ઘરેલું ઉપાય પણ કારગર છે

Tue, August 29 2023

હાલમાં ભલે વરસાદ અટકી ગયો છે પરંતુ વરસાદી સિઝન છે જ અને આવી સીઝનમાં પાણીજન્ય રોગનું પ્રમાણ એકદમ વધી જાય છે. ખુલ્લામાં જમા રહેતું પાણી મચ્છરોનું જન્મસ્થાન બની જાય છે અને આ મચ્છરો ડેન્ગ્યું જેવા રોગ ફેલાવે છે. અત્યારે રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ડેન્ગ્યુ તાવે ઉપાડો લીધો છે અને અનેક દર્દીઓ સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે.

ડેન્ગ્યુ એક ગંભીર બિમારી છે, જે એડીસ એંજીટી નામની પ્રજાતિના મચ્છરોથી ફેલાય છે. તેના કારણે દર વર્ષે ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે કોઈ મચ્છર ડેન્ગ્યુના તાવથી પીડિત કોઈ દર્દીને કરડે છે, અને પછી તે મચ્છર જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે, તો તે વાયરસ સ્વસ્થ વ્યક્તિના લોહીમાં પહોંચી જાય છે. તેનાથી સ્વસ્થ વ્યક્તિને પણ ડેન્ગ્યૂનો તાવ આવી શકે છે. મચ્છર એક વાર કરડયા પછી પણ ડેન્ગ્યુ થવાની શક્યતા રહે છે.

જેણે ડેન્ગ્યુ થયો હોય તે સારવાર માટે એલોપથી દવાઓ લ્યે જ છે પણ આ ડેન્ગ્યુના તાવના ઘરેલુ ઉપાય પણ કરી શકાય છે.

આયુર્વેદમાં ડેન્ગ્યુ તાવની સારવાર માટે ઘણા ઘરેલુ ઉપાય જણાવવામાં આવ્યા છે. તો ચાલો કેટલાક મુખ્ય ઘરેલુ ઉપાય વિશે વિસ્તારમાં જાણીએ.

ડેન્ગ્યૂ તાવ શું છે?
ડેન્ગ્યુ તાવ એક વાયરસના કારણે થાય છે, જે મચ્છર દ્વારા ફેલાઈ છે. ડેન્ગ્યુ વાયરસને ફેલવા માટે કોઈ માધ્યમની જરૂર હોય છે, અને તે માધ્યમ મચ્છર હોય છે. તેને હાડકા તોડ તાવ પણ કેહવામાં આવે છે, કેમકે તેનાથી દર્દીને હાડકા તૂટવા જેવો દર્દ થાય છે. એ વાતનું ધ્યાન રાખો કે ડેન્ગ્યુના લક્ષણ દેખાતા તાત્કાલિક તપાસ અને સારવાર કરાવો.

ડેન્ગ્યુ વાયરસના પ્રકાર:
ડેન્ગ્યુ વાયરસના ચાર પ્રકાર હોય છે. ડેન્ગ્યુ તાવ ચાર પ્રકારના વાયરસમાંથી કોઈ એક પ્રકારના વાયરસના કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને એક વાર ડેન્ગ્યુ થઈ જાય તો સારા થયા પછી શરીરમાં આ વાયરસ માટે એક વિશેષ એન્ટીબોડી બની જાય છે. એ કારણે શરીરમાં આ વાઇરસ પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. બાકી રહેલા ત્રણ પ્રકારના વાયરસથી તે થોડા સમય માટે જ સુરક્ષિત રહે છે.

ડેન્ગ્યુ તાવના લક્ષણો:

ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત થવાના ૩ થી ૧૪ દિવસ પછી જ કોઈપણ વ્યક્તિને લક્ષણ જોવા મળે છે. મોટાભાગે ૪ અથવા ૭ દિવસ પછી લક્ષણ જોવા મળે છે.
-ડેન્ગ્યુ વાયરસ લોહીમાં ફેલાવાના એક કલાકમાં જ સાંધામાં દુખાવા શરૂ થઈ જાય છે, અને વ્યક્તિને ૧૦૪ ડિગ્રી સુધી તાવ પણ આવે છે.
-બ્લડ પ્રેશરનું ઝડપથી ઘટવું અને હૃદયની ગતિ ઓછી થવી.
-આંખો લાલ થવી અને દુખાવો થવો.
-ચેહરા પર ગુલાબી દાણા નીકળવા
-ભૂખ લાગવી નહીં, માથાનો દુખાવો, ઠંડી લાગવી, તાવ આવવો
આ બધા લક્ષણો ડેન્ગ્યુના પેહલા ચરણમાં થાય છે. તે ચાર દિવસ સુધી ચાલી શકે છે.

ડેન્ગ્યુના બીજા ચરણમાં શરીરમાં વધેલું તાપમાન ઓછું થઈ જાય છે, અને પરસેવો વળવા લાગે છે. આ સમયે શરીરનું તાપમાન સામાન્ય થઈને દર્દીને સારો અનુભવ થવા લાગે છે, પરંતુ તે એક દિવસથી વધારે રેહતું નથી.

ડેન્ગ્યુના તાવ માટે ઘરેલુ ઉપચાર:

ડેન્ગ્યુ તાવની સારવારમાં લીમડો ફાયદાકારક છે:
લીમડાના પાનનો રસ પીવાથી પ્લેટલેટસ અને સફેદ રક્ત કોષોની સંખ્યામાં વધારો થાય છે. તે રોગ પ્રતિકારક શક્તિની પ્રણાલીમાં પણ સુધારો કરે છે. તેથી ડેન્ગ્યુની સારવાર દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ લીમડાનું સેવન કરવુ.

ગીલોયથી ડેન્ગ્યુના તાવની સારવાર કરો:
ગીલોય ડેન્ગ્યુના તાવ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે. તે રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે અને શરીરના સંક્રમણમાં ઘટાડો લાવે છે. ગીલોયના તણખાં ને ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પીઓ. તે ડેન્ગ્યુના લક્ષણોને અસરકારક રીતે ઓછા કરે છે. ૨-૩ ગ્રામ ગિલોય પીસી લો. તેમાં ૫-૬ તુલસીના પાન ઉમેરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. તેને દર્દીને પીવડાવો.

ડેન્ગ્યુના તાવમાં તુલસીનો ઉપયોગ ફાયદાકારક છે:
તુલસીના પાન ડેન્ગ્યુના તાવમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે શરીરના ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવે છે. ૫-૭ તુલસીના પાનને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો. તેમાં એક ચપટી મરીનો પાવડર નાખીને પીઓ.

ડેન્ગ્યુના તાવની સારવાર પપૈયાથી કરો:
પપૈયાના પાન ડેન્ગ્યુના તાવ માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમને ડેન્ગ્યુના તાવના લક્ષણો જોવા મળે છે તો ડોક્ટરની સલાહ મુજબ તેનું સેવન કરો. પપૈયામાં રહેલા પોષક તત્વો અને કાર્બનિક યૌગીકોના મિશ્રણ પ્લેટલેટ્સ ની સંખ્યામાં વધારો કરે છે.

ડેન્ગ્યુના તાવમાં મેથીનો ઉપયોગ ફાયદાકારક:
મેથીના પાન તાવમાં ઉણપ લાવે છે તથા શરીરમાં દુખાવો થવા પર પણ આરામ પહોચાડે છે. આ ડેન્ગ્યુ તાવના લક્ષણોને દૂર કરવા માટે સૌથી સારો ઘરેલુ ઉપચાર છે.

ડેન્ગ્યુના તાવની સારવાર સંતરાથી કરો:
સંતરાના રસમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે, જેને ડેન્ગ્યુ તાવના વાયરસને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે પ્રતિરક્ષા પ્રણાલીને પણ મજબૂત કરે છે.

ડેન્ગ્યુ તાવની સારવાર જવ થી કરો:
જવ ઘાસમાં રક્ત કોષોના ઉત્પાદનને સરખું કરી, શરીરની પ્લેટલેટસની સંખ્યામાં વધારો કરવાની ક્ષમતા હોય છે. ડેન્ગ્યુ તાવ સમયે પ્લેટલેટસની સંખ્યા ખૂબ ઓછી થઈ જાય છે, તેથી જવના ઘાસનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. જવના ઘાસનો ઉકાળો બનાવીને પીઓ. આ ઘાસને ખાઈ પણ શકો છો. તે ડેન્ગ્યુ તાવના લક્ષણોને ઓછા કરવામાં ખૂબ મદદરૂપ છે.

નારિયેળ પાણીનું સેવન ડેન્ગ્યુના તાવ માટે ફાયદાકારક:
ડેન્ગ્યુના ઉપચાર દરમિયાન નારિયેળ પાણી પીવું ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં રહેલ જરૂરી પોષક તત્વો જેમકે મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ શરીરને મજબૂત બનાવે છે.

ડેન્ગ્યુમાં કોળા નું સેવન ફાયદાકારક:
પાકેલા કોળાને પીસી તેમાં એક ચમચી મધ નાખીને પીઓ. ઉત્તમ ફાયદા માટે કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો.

બીટનું સેવન ડેન્ગ્યુમાં ફાયદાકારક:
બીટના રસમાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગાજરના રસમાં બે થી ત્રણ ચમચી બીટનો રસ ઉમેરીને પીવાથી લોહીમાં પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

એલોવેરાનો ઉપયોગ ડેન્ગ્યુમાં ફાયદાકારક:
૨-૩ ચમચી એલોવેરાનો રસ પાણીમાં ઉમેરીને રોજ પીવું. તેનાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ડેન્ગ્યુ તાવમાં પણ તે રાહત આપે છે.

ડેન્ગ્યુ દરમિયાન આહાર:

-વધુમા વધુ પાણી પીવું.
-ડેન્ગ્યુ થવા પર સખત તાવ રહે છે, સાથેજ પેટની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં હળવો તેમજ સુપાચ્ય ખોરાક જ લેવો જોઈએ.
-ડેન્ગ્યુના દર્દીનું મોં અને ગળું સુકાયેલું રહે છે. તેથી દર્દીને તાજુ સૂપ, જ્યુસ અને નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ.
-લીંબુ પાણી બનાવીને પીઓ. લીંબુનો રસ શરીરની ગંદકીને મળદ્વાર મારફતે કાઢીને શરીરને સ્વસ્થ બનાવે છે.
-હર્બલ ટી થી તાવમાં રાહત મળે છે. તેમાં આદુ અને એલચી નાખીને બનાવો.
-ડેન્ગ્યુના લક્ષણ દેખાતા જ તાજા શાકભાજીઓનું જ્યુસ પીઓ. તેમાં ગાજર, કાકડી અને અન્ય પાંદડાંવાળી શાકભાજી ખૂબ સારી હોય છે. આ શાકભાજીઓ જરૂરી વિટામિન અને ખાનીજોથી ભરપુર હોય છે જે દર્દીની રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે.
-દાળનું સેવન કરો. તેમાં રહેલ ઉચ્ચ ફાઇબર અને પોષક તત્વ રોગોથી લડવા માટે પૂરતી શકિત આપે છે.
-ડેન્ગ્યુના દર્દીને પ્રોટીનની ખૂબ જરૂરી હોય છે. તેથી દર્દીને દૂધ અને ડેરી ઉત્પાદનનું સેવન જરૂર કરવું જોઈએ.

ઝડપથી સાજા થવા અને પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધારવા શું કરવું જોઈએ ?

ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ ચોમાસાની સિઝનમાં સૌથી વધારે જોવા મળે છે. જેનો તત્કાળ ઇલાજ ના કરવામાં આવે તો તે ગંભીર બને છે અને જીવલેણ સાબિત થાય છે. આ દરમિયાન પ્લેટલેટ્સ કાઉન્ટ વધારવા માટે કેટલીક ચીજવસ્તુઓનું સેવન કરવું જોઇએ.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર, ડેન્ગ્યુ અને મેલેરિયા મચ્છરજન્ય રોગ છે. આ દરમિયાન દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ્સ ઘટી જાય છે એક રિસર્ચ અનુસાર, અમુક ખાદ્યપદાર્થોના નિયમિત સેવનથી આ જીવેલણ તાવ સામે રક્ષણ મળે છે, ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે અને પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે.

​શતાવરી અને કાળા મરી
શતાવરીના સેવનથી શરીરની ઉર્જામાં વધારો થાય છે અને દર્દીને કમજોરી દૂર કરવામાં મદદ મળે છે. કાળા મરીમાં વિટામિન સીની માત્રા વધારે હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થઅનુસાર, ડેન્ગ્યુમાં માઇક્રોન્યૂટ્રિએન્ટ્સનો રોલ મહત્વનો છે. તે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને બીમારીમાં ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.

​આદુ અને દાડમ
આદુના ગુણ શરીરમાં ઇમ્યૂન પાવરને મજબૂત બનાવવામાં સહાયક છે. તે તાવને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે દાડમમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને અન્ય પોષકતત્વો રહેલા છે જે સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.

​નારિયેળ પાણી અને મસૂરની દાળ
મસૂરની દાળમાં પ્રોટીન, વિટામિન અને ખનીજ હોય છે જે દર્દીના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય હળદર, પપૈયું અને દહીંનું સેવન પણ કરી શકાય છે. આ સિવાય નારિયેળ પાણી હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદ કરે છે અને વિશિષ્ટ પોષકતત્વોથી ભરપૂર હોય છે.

Share Article

Other Articles

Previous

સોમનાથનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે માદક પદાર્થ ઘૂસાડવા માટે નવો માર્ગ

Next

વડીલો હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ નથી ઉતરાવતા…?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
2 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
3 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
3 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
4 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ પર 1લી ફેબ્રુઆરીથી શિફ્ટઇંગ શરૂ થશે: એરોબ્રિજ માટે સ્ટાફને ટ્રેનિંગ શરૂ
રાજકોટ
4 મહિના પહેલા
વિઝા ફ્રી કન્ટ્રી થાઈલેન્ડમાં ફરવા જવાનો પ્લાન બનાવો છો ?? આ છે ટોપ 5 જગ્યાઓ, જાણો ખાસિયત
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ગુજરાતમાં આકરી ગરમી : 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં એક વર્ષ પહેલા બનેલા બ્રીજ માં જોવા મળી તિરાડ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર