ખજૂર હેલ્થ માટે ઘણી સારી પણ તે અસલી છે કે નકલી તે જાણવું જરૂરી
રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિનામાં લોકો રોજા રાખે છે અને સાંજે ખજૂર ખાઈને પોતાનું રોજું ખોલે છે. ખજૂર માત્ર પરંપરા અનુસાર જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એનર્જી હોય છે જે આખો દિવસ રોજુ રાખ્યા પછી તરત જ શક્તિ આપે છે. ખજૂર ખાવાથી શરીરને જરૂરી પોષણ મળે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે. હોળી ધૂળેટીના તહેવારોમાં પણ ખજુર ખુબ જ ખવાય છે.
કેટલીકવાર બજારમાં વિવિધ પ્રકારની ખજૂરોમાંથી સૌથી સારી ક્વોલિટીની ખજૂરને ઓળખવી મુશ્કેલ બની શકે છે. અસલી અને સારી ક્વોલિટીની ખજૂર પસંદ કરવા માટે ખજૂરની બનાવટ જુઓ. ખજૂરની બનાવટ, રંગ અને ટેક્સચરને સારી રીતે તપાસો. સારી ક્વોલિટીની ખજૂર સામાન્ય રીતે નરમ અને ચિકણી હોય છે. આ સિવાય દરેકનો રંગ પણ એકસમાન હોય છે. અસલી ખજૂર ન તો ખૂબ સૂકી હોય છે અને ન તો ખૂબ ચીકણી હોય છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે અને તેની સુગંધ તેની તાજગીને ચકાસવા માટે બેસ્ટ છે. તાજી અને સારી ક્વોલિટીની ખજૂરમાં સારી સુગંધ આવશે, જ્યારે બગડેલી ખજૂરમાં વિચિત્ર સુંગંધ આવશે.
બજારમાં મળતી ખજૂરને આકર્ષક બનાવવા માટે તેને ખાંડ અને ગ્લુકોઝ સીરપથી કોટેડ કરવામાં આવે છે. ખજૂર ખરીદતી વખતે તેને થોડી દબાવીને જુઓ, જો ખજૂર વધુ કડક અને ચીકણી છે, તો ચોક્કસ તેમાં મીઠાશ માટે કંઈક લગાવવામાં આવ્યું છે.