‘ધ કપિલ શર્મા શો’ શા માટે છોડ્યો ?? નવજોત સિંહ સિદ્ધુએ પહેલીવાર મૌન તોડ્યું
પૂર્વ ક્રિકેટર, પોલિટિશિયન અને ટીવી પર્સનાલિટી નવજોતસિંહ સિદ્ધુ કપિલ શર્માના શોમાં જજ તરીકે જોવા મળતા હતા. વર્ષ 2019માં તેને આ શો છોડી દીધો હતો. ત્યારથી તેના ચાહકોમાં એ પ્રશ્ન હતો કે તેણે કપિલનો શો શા માટે છોડી દીધો. આ વાતનો જવાબ પાંચ વર્ષ પછી મળ્યો છે. તાજેતરમાં જ કપિલ શર્મા ના શોમાં નવજોતસિંહ સિદ્ધુ ગેસ્ટ તરીકે આવ્યા હતા. જેમાં તેમણે આ અંગે ખુલાસો કર્યો હતો.
કપિલ શર્માનો શો હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફિક્સ પર દર શનિવારે આવે છે. કપિલ શર્મા ના શોની આ બીજી સિઝન ચાલી રહી છે. બીજી સિઝનમાં ગેસ્ટ તરીકે નવજોતસિંહ સિદ્ધુ તેની પત્ની સાથે અને હરભજન સિંહ તેની પત્ની સાથે ગેસ્ટ બનીને આવ્યા હતા. આ ધમાકેદાર એપિસોડ નો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે.
કપિલ શર્માનો શો શા માટે છોડ્યો એ વાત પર નવજોત સિંહ સિદ્ધુએ પહેલી વખત રિએક્શન આપ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે શો છોડવા પાછળ કેટલાક રાજનૈતિક કારણ પણ જવાબદાર હતા. આ વાત કરવાની સાથે જ તેણે શો સંબંધિત કેટલીક યાદો પણ તાજી કરી હતી.
નવજોતસિંહ સિદ્ધુએ જણાવ્યું કે, કપિલ શર્માનો શો એક ગુલદસ્તા જેવો છે. જેમાં દરેક ફૂલની પોતાની અલગ ખુશ્બુ છે. કોઈ એક વ્યક્તિ તેનો શ્રેય લઈ શકે નહીં. શો છોડવાને લઈને તેણે કહ્યું કે, કપિલ નો શો છોડવા પાછળ રાજનૈતિક કારણ હતા, જેના વિશે તે હાલ વાત કરવા નથી ઈચ્છતા.
નવજોતસિંહ સિધુ એ કપિલ શર્મા ના ખરાબ સમયની વાત પણ કરી હતી. તેણે કહ્યું કે જ્યારે કપિલ શર્મા બીમાર હતો અને પોતાની પરેશાનીઓમાં ઘેરાઈ ગયો હતો ત્યારે લોકોએ તેને પણ કહ્યું હતું કે હવે કપિલ શર્મા ખતમ થઈ ગયો. પરંતુ તે એક ટેલેન્ટ વ્યક્તિ છે અને તેણે તે સાબિત કરી બતાવ્યું.