કોણ આવ્યું તિહાર જેલની બહાર ? જુઓ
આપના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ બુધવારે રાત્રે જેલમુક્ત થયા હતા. તિહાર જેલની બહાર આવતાં જ પાર્ટીના કાર્યકરોએ એમને સૂત્રોચ્ચાર સાથે આવકાર્યા હતા. દિલ્હીની લોકલ કોર્ટ દ્વારા જામીન માટેની શરતો નક્કી કરી હતી. મુક્તિનો ઓર્ડર સાંજે જેલ પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટથી સિંહને શરતી જામીન મળ્યા હતા. લોકલ કોર્ટે કેટલીક શરતો નક્કી કરી હતી. જે મુજબ સિંહ દિલ્હી એંસીઆર છોડીને બહાર જઈ શકશે નહીં. જો જવું હોય તો અગાઉ તેની જાણકારી તંત્રને આપવી પડશે. પૂરાવા સાથે કોઈ છેડછાડ થવી જોઈએ નહીં. કેસ અંગે મીડિયા સમક્ષ કોઈ કોમેન્ટ કરી શકશે નહીં.
આ ઉપરાંત સિંહ જ્યાં પણ જાય તો લોકેશન બતાવતા રહેવું પડશે. તપાસમાં સહકાર આપવો પડશે. સિંહ બીમાર હતા અને એમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલથી તેઓ સીશા જેલ ગયા હતા.
તિહાર જેલની બહા કલાકો પહેલાથી મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો આવી ગયા હતા. એમના હાથમાં સિંહને આવકાર્તા બેનરો હતા. જેલની બહાર પોલીસનો મજબૂત બંદોબસ્ત ગોઠવાયો હતો.