ખેડૂતોએ ક્યાં કર્યો ટ્રાફિક જામ ? જુઓ
- શેનો ઘેરાવ કરવા નીકળ્યા ?
ખેડૂતોએ ભારતીય કિસાન પરિષદના એલાન મુજબ પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધીને સાંસદ ભવન તરફ જવા માંગતા હતા પણ પોલીસ અટકાવી દીધા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા હેટ. ખેડૂતો પણ હડતાળ પર બેઠા હતા અને દિલ્હી જવાની માગ પર અડગ રહ્યા હતા. યુપીના કિસાનો પણ કૂચમાં જોડાયાની જાહેરાત થઈ હતી. દીલ્હીમાં દાખલ થતાં ખેડૂતોને અટકાવી દેવાયા હતા અને ખેડૂતો ધરણાં પર બેસી ગયા હતા. અર્ધસૈનિક દળ અને પોલીસની ટુકડીઓ ચારેકોર ગોઠવાઈ હતી.
ખેડૂતોએ સંસદ ભવનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની મહાપંચાયત અને દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ‘કેટલીક જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. દિલ્હી અને નોઈડાને જોડતા રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મહામાયા ફ્લાયઓવર પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ખેડૂતો ગ્રેટર નોઈડા ઓથોરિટીની બહાર ઘણાં દિવસોથી દેખાવ કરી રહ્યા છે. તેઓએ ગુરુવારે ઘેરાબંધીની તૈયારી કરી લીધીહતી ખેડૂતોએ કહ્યું હતું કે, ‘દિલ્હી કૂચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા છે.
ખેડૂતોની માગ શું છે?
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.’