ક્યાં પહોંચ્યા વિદેશ મંત્રી જય શંકર ? કઈ બેઠકમાં ભાગ લેશે ? વાંચો
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર એસસીઓની શિખર બેઠકમાં ભાગ લેવા મંગળવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. એમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી 9 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન પહોંચ્યા છે. ભારતીય વિદેશ મંત્રીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે કોઈપણ પાડોશી દેશની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. પરંતુ, સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં. આજથી બે દિવસીય શિખર બેઠક શરૂ થઈ છે. ભારત નિર્ભીક રીતે જ પોતાનો અવાજ મૂકવા માટે જાણીતું છે. વડાપ્રધાન મોદીને ઓગસ્ટમાં પાકિસ્તાન દ્વારા આમંત્રણ અપાયું હતું.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ડિનરનું આયોજન કર્યું હતું અને તેની સાથે જ એસસીઓ સમિટ શરૂ થઈ હતી. છેલ્લા ઘણા સમયથી બંને પાડોશી દેશોના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત તરફથી પાકિસ્તાનની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.
કોઈ બીજી વાત નહીં
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય વાતચીત થશે નહીં
આપણે અહીં એ પણ નોંધનીય છે કે બંને પક્ષોએ એસસીઓ સરકારના વડાઓની સમિટની બાદ જયશંકર અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય વાતચીતનો ઇનકાર કર્યો છે.
છેલ્લે સુષ્મા સ્વરાજ ગયા હતા
પાકિસ્તાનની મુલાકાત લેનાર ભારતના છેલ્લા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હતા. તે અફઘાનિસ્તાન પર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ડિસેમ્બર 2015માં ઈસ્લામાબાદ ગયા હતા. . પાકિસ્તાને ઓગસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસસીઓ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
મજબૂત સુરક્ષા વ્યવસ્થા
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સમિટ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જે હોટેલો અને વિદેશી પ્રતિનિધિમંડળ રોકાયા છે ત્યાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આર્મી, ગુપ્તચર એજન્સીઓ, ફ્રન્ટિયર કોર્પ્સ અને રેન્જર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
