રિઝર્વ બેન્ક શું કરશે ? ઈએમઆઈ ઘટશે ? કઈ બેઠક શરૂ થઈ ? વાંચો
દર બે મહિને યોજાતી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ હતી. એમપીસીના અધ્યક્ષ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે આવતી કાલે ત્રણ દિવસની બેઠકના પરિણામોની જાહેરાત કરશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2023 થી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે અને આ બેઠકમાં પણ રેપો રેટમાં કાપની કોઈ શક્યતા નથી. અત્યારે વિશ્વની સ્થિતિ ખરાબ છે અને બધાના અર્થતંત્ર સંકટમાં આવ્યા છે. ઈએમઆઈ ઘટવાની શક્યતા નથી.
વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી
નિષ્ણાતો કહે છે કે રિટેલ ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે અને પશ્ચિમ એશિયાની કટોકટી વધુ વકરી શકે છે, જેની અસર ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવ પર થશે. આવી સ્થિતિમાં મુખ્ય વ્યાજ દર રેપોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.
આ મહિનાની શરૂઆતમાં, સરકારે મોનેટરી પોલિસી કમિટી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રેટ સેટિંગ કમિટીનું પુનર્ગઠન કર્યું હતું. તેમાં ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
ડિસેમ્બરમાં થોડી છૂટછાટનો અવકાશ
નિષ્ણાતો માને છે કે ડિસેમ્બરમાં જ આમાં થોડી છૂટછાટનો અવકાશ છે. સરકારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો ચાર ટકા (બે ટકા ઉપર કે નીચે) રહે તેની ખાતરી કરવા માટે કેન્દ્રીય બેંકને કાર્ય સોંપ્યું છે.