દિલ્હીમાં કોંગ્રેસને શું લાગ્યો ઝટકો ? વાંચો
શું કહ્યું અરવિંદરસિંઘે ?
ચુંટણી જાહેર થઈ તે પહેલાથી કોંગ્રેસને લાગી રહેલા ઝાટકાનો દોર સમાપ્ત જ થતો નથી અને એક પછી એક મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીને ફરી રવિવારે મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિદરસિંઘ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા હતા. જો કે લવલીએ એવી ચોખવટ કરી હતી કે પોતે હજી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. કોઈ બીજી પાર્ટીમાં પણ જતો નથી.
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમણે પત્રમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનનો વિરોધ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર અરવિંદર સિંહ લવલીનો દિલ્હી કોંગ્રેસ પ્રભારી મહાસચિવ દિપક બાબરિયા વચ્ચે પણ વિવાદ થયો હતો.
હકીકતમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે નેતાઓએ બાબરિયાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે. લવલીના મતે બાબરિયાની વિરુદ્ધમાં રહેલા નેતાઓને દૂર કરવા માટે તેમના પર ખૂબ જ દબાણ છે. એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. અરવિંદર સિંહ લવલીએ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘હું આ પત્ર ખૂબ જ ભારે હૃદયથી લખી રહ્યો છું. હું પાર્ટીમાં સંપૂર્ણપણે અસહાય અનુભવું છું. તેથી હવે દિલ્હીના અધ્યક્ષ પદ પર રહી શકાય એમ નથી.