મુંબઈ પરના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ રાણાને શું લાગ્યો ફટકો ? વાંચો
મુંબઈમાં 2008 26/11એ થયેલા આતંકી હુમલાને લઈને શનિવારે એક મોટા સમાચાર આવ્યા હતા. જેમાં આતંકી હુમાલામાં સંડોવણીના આરોપી પાકિસ્તાન મૂળના કેનેડિયન બિઝનેમનેન તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.’
આરોપી રાણાએ પોતાના ભારતના પ્રત્યાર્પણને કોર્ટમાં પડકાર્યો હતો.
રાણા દ્વારા દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતા, યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની હેબિયસ કોર્પસ પિટિશનની અરજીને ફગાવવાને સમર્થન આપ્યું હતું.
રાણાએ તેની અરજીમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેની કથિત સંડોવણી બદલ તેમના ભારતના પ્રત્યાર્પણને પડકાર્યો હતો. પેનલે જણાવ્યું હતું કે રાણાનો કથિત ગુનો યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2008માં પાકિસ્તાનથી બોટમાં આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા કરી હતી.