મહારાષ્ટ્રના નાગપુરમાં કેવી કરુણ દુર્ઘટના બની? જુઓ
- ક્યાં ધડાકો થયો હતો ?
- કેટલા લોકોના મોત થયા ?
મહારાષ્ટ્રના નાગપુર પાસે એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના નાગપુરથી 55 કિલોમીટર દૂર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં કાસ્ટ બૂસ્ટર પ્લાન્ટમાં લગભગ સવારે 9 વાગ્યે પેકિંગ સમયે ખુબ જ મોટો બ્લાસ્ટ થતા મોટી દુર્ઘટના બની હતી. ધડકાને લીધે ઈમારત્નો એક ભાગ પણ તૂટી પડ્યો હતો. ધડાકા બાદ આગ પણ લાગી હતી.
ધડાકાના અવાજથી આખો વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે.
આ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી લીધા હતા. આ બ્લાસ્ટ કેવી રીતે થયો તેનું કારણ સામે આવ્યું નથી. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કંપનીની ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો તેમજ બ્લાસ્ટનો અવાજ ખુબ જ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ફેક્ટરીમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.