હવે યુપીના બદાયુ શહેરમાં મસ્જિદ અંગે શું છે વિવાદ ?
યુપીમાં સંભલ મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં છે ત્યારે યુપીના જ અન્ય એક શહેર બદાયુમાં પણ આવો જ વિવાદ શરૂ થયેલો છે અને અહીંની જામા મસ્જિદ પણ નિલકંઠ મંદિર હોવાનો હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો છે. અહીં પણ ટેન્શન છે.
હાલ આ મામલો શહેરની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે. બદાયુની કોર્ટમાં 3 જી ડિસેમ્બરે સુનાવણી થવાની છે. સિવિલ જજ દ્વારા ગત 30 નવેમ્બરે મસ્જિદ કમિટીના વકીલની વાત સાંભળવામાં આવી હતી. હવે આગામી સુનાવણી તરફ બધાની નજર મંડાઇ છે.
આ મામલો સૌ પહેલા 2022 માં ઊભો થયો હતો. અખિલ ભારત હિન્દુ મહાસભાના સંયોજક મુકેશ પટેલ દ્વારા દાવો કરાયો હતો કે અત્યારે જ્યાં જામા મસ્જિદ છે ત્યાં પહેલા નીલકંઠ મંદિર હતું. અહીં પૂજા કરવાની મંજૂરી આપવાની માંગણી કરી હતી.
જ્યારે મુસ્લિમ પક્ષે એમ કહ્યું હતું કે આ મસ્જિદ 850 વર્ષ જૂની છે અને હિન્દુ પક્ષની વાતમાં કોઈ દમ નથી. આવી અરજી દાખલ કરવાનો હિન્દુ મહાસભાને કોઈ અધિકાર જ નથી. સરકાર તરફથી દલીલો પૂરી થઈ ગઈ છે.